જમ્મુ - કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને કેદમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે રાજ્ય સરકારે ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલા તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા હતા.
5 ઓગસ્ટે ઉમર અબ્દુલ્લાને કેદ કરવામાં આવ્યા હતા
સરકારે ઉમર પર PSA લગાવ્યો હતો
ઉમરની બહેન સારાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી
જમ્મુ- કાશ્મીરના અનુચ્છેદ 370 હટાવવા અને રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતુ.
5 ઓગસ્ટના રોજ ઉમર અબ્દુલ્લાને કેદ કરવામાં આવ્યા હતા. તેમના પર પબ્લિક સેફ્ટી એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો. ઉમર પર આક્ષેપ હતો કે તે પોતાના ફેસબુકની પોસ્ટના માધ્યમથી લોકોને ભડકાવવાનું કામ કરે છે. આ મુદ્દે ઉમરની બહેન સારાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
Today, I, realise that we are fighting a war of life and death. All our people who have been detained should be released at this time. We must follow govt orders to fight Coronavirus: National Conference leader Omar Abdullah https://t.co/YVU012dfJcpic.twitter.com/k8CQad1Mdz
ઉમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહિને સુનવણી કરતા જમ્મુ- કાશ્મીર વહીવટી તંત્રને પુછ્યુ હતું કે અબ્દુલ્લાને કેમ મુક્ત ન કરી શકાય. તેનું કારણ આપો. સાથે સાથે કોર્ટે કહ્યું હતું કે જો તમે અબ્દુલ્લાને મુક્ત કરી રહ્યા છો તો ઝડપથી કરો એ પછી અમે તેની બહેને કરેલી અરજી પર સુનવણી કરશું.
ઉમરે કોઈ પોસ્ટ નથી કરી
સારાએ અબ્દુલ્લાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે અબ્દુલ્લાએ ઓફિશિયલ ફેસબુક અકાઉન્ટમાંથી કોઈ પોસ્ટ કરી નથી. તેમણે કહ્યુ હતું કે કેદમાં રહેલ વ્યક્તિ સામે એકત્રિત કરવામાં આવેલ સામગ્રીમાં એક માત્ર વસ્તુ તેમનુ સોશિયલ મીડિયાની પોસ્ટ છે. જે પોસ્ટને લઈને કેસ ચાલી રહ્યો છે તેનું અસ્તિત્વ જ નથી અને ખોટી રીતે દુર્ભાવનાપૂર્ણ રીતે તેને તેમની ગણાવવામાં આવી રહી છે.
PDPએ મહેબુબાને મુક્ત કરવાની માંગણી કરી છે
સરકારના હુકમથી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ કહ્યું કે અમે ઉમર અબ્દુલ્લાની નજરકેદમાંથી મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમજ સરકારને મહેબુબા મુફ્તી અને તેમની અન્ય તમામ રાજનીતિક કેદીઓને મુક્ત કરવા અપીલ કરી છે. પાયા વગરના આરોપોની સાથે પીએસએ હેઠળ કરવામાં આવેલી કામગીરી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની પાયાની સમજનો પ્રશ્ન છે.