જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટ (Jammu & Kashmir High Court) એ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની જિલ્લા કોર્ટમાં 33 બિન ગેઝેટેડ પદોને ભરવા માટે આપવામાં આવેલી જાહેરાતની સૂચના પાછી ખેંચી છે. વિપક્ષે ગત વર્ષે ઓગસ્ટમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી તમામ ભારતીયોને આવેદન મંગાવવાને લઇને કડક વિરોધ દર્શાવ્યો હતો.
વિપક્ષે અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી આવેદન મંગાવવા પર કડક વિરોધ દર્શાવ્યો હતો
જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી હતી
આવેદન ભરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2020 આપવામાં આવી હતી
જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય ધારે 26 ડિસેમ્બર 2019માં ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી હતી. તેમા આવેદન ભરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2020 આપવામાં આવી હતી.
ધારે મંગળવારે સાંજે એક સૂચના જાહેર કરી કહ્યું, તમામ સંબંધિત લોકોની જાણકારી માટે એ સૂચના આપવામાં આવે છે કે, 26 ડિસેમ્બર 2019ની જાહેરાતની નોટિસ તાત્કાલિક રીતે પાછી ખેંચવામાં આવે છે, જેમા જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટમાં બિન ગેઝેટેડ કેટેગરીમાં અલગ-અલગ પદો માટે આવેદન મંગાવવામાં આવ્યા હતા.
સૂચના પાછી ખેંચવા મામલે કોઇ કારણ બતાવવામાં આવ્યું નથી, પરંતુ વિપક્ષી પાર્ટીઓના પ્રદર્શન બાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરન્સ, જેકેએનપીપી અને વામ પંથી સહિત વિભિન્ન વિપક્ષી પાર્ટીઓએ જમ્મૂ કાશ્મીરમાં સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોના અનામતની માંગ કરી હતી.
સ્થાનીય લોકો માટે જમ્મૂ કાશ્મીરમાં નોકરીઓના મુદ્દા પર એક સવાલનો જવાબ આપતા જમ્મૂ કાશ્મીર તંત્રના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે એક પત્રકાર સંમેલનમાં કહ્યું, 'સરકારને વિભિન્ન સૂચન મળ્યા છે અને તેનુ અધ્યયન કરવામાં આવી રહ્યું છે.'