જમ્મુ કાશ્મીરમા રાજૌરીના થાનામંડી વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જે અથડામણમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.
કાશ્મીરમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
રાજૌરીના થાનામંડી વિસ્તારમાં થઈ અથડામણ
સેના 2 આતંકીઓને એન્કાઉન્ટરમાં કર્યા ઠાર
જમ્મૂ કાશ્મીરમાં રાજૌરીના થાનામંડી વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે આજે અથડામણ થઈ. જે અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા. સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અથડામણને લઈને થાનામંડી માર્ગ અને યાતાયાતને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.
બાતમીને આધારે ઓપરેશન હાથ ધર્યું
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમને આતંકીઓ વીસે બાતમી મળી હતી. જે બાતમીને લઈને તેમણે તે વિસ્તારને ઘેરી લીધો અને બાદમાં તેમણે ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે તે વખતે પહેલા આતંકીઓએ સેના પર પહેલા ફાયરિંગ શરૂ કરી દીધું જેથી સેનાએ પણ સામે ફાયરિંગ કર્ય અને અથડામણ શરૂ થઈ હતી.
અત્યાર સુધીમાં 9 જવાનો શહિદ
આપને જણાવી દઈએ કે પુંછમાં સુરનકોટ, મેઢર અને રાજૌરીના થાનામંડી વિસ્તારમાં આતંકિઓ સામે ઓપરેશનનો આજે 27મો દિવસ છે. 11 ઓક્ટોબરે સુરનકોટના જંગલમાં તેમજ 14 ઓક્ટોબરે મેંઢરના જંગલોમાં તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદથી ભારતીય સેનાના કુલ 9 જવાનો શહિદ થયા છે.
ફાયરિંગમાં આતંકીનું મોત
ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબરે ઓપરેશન સમયે કોટભલવાલ જેલમાં બંધ પાકિસ્તાની આતંકી જિયા મુસ્તફાને મેંઢર પાસે સ્થળે લાવવામાં આવ્યો હતો. જોકે તેજ સમયે આતંકિઓએ ફાયરિંગ કર્યનું જે ફાયરિંગમાં જિયા પણ માર્યો ગયો હતો.