વીરપુર જાવું કે સતાધાર જાવુ, હાલ મનવા હાલ તને રામ બતાવું..., આ તો ભજનની એક પંક્તિ માત્ર છે પરંતુ જલારામ બાપાએ વીરપુરમાં શરૂ કરેલા સદાવ્રતને હાલ પુરા 200 વર્ષ થશે. આ માટે ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
રોજના 6000 લોકો લે છે ભોજન
દાન નથી લેવાતુ વીરપુરમાં
200 વર્ષ પુરો થયાનો ઉત્સવ ઉજવાશે
18થી 25 જાન્યુઆરી 2020 ના દિવસોમાં વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ ઊજવાશે પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કર્યું છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. વિક્રમસવંત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે.
રોજના 6000 લોકો લે છે ભોજન
સેવાની અંખડ ધુણીમાં જલારામ બાપા કહેતા, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. અને બસ આ જ થીયરીને પકડીને તેમણે વીરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના 6000 જેટલા શ્રદ્ધાળુઓ અને ભુખ્યાને ભોજનનો પ્રસાદ નિરંતર આપવામાં આવે છે. તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે
30 હજારની બેઠક ધરાવતો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. 4 હજાર શ્રધ્ધાળુ માટે ગેસ્ટહાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે, તે ઉપરાંત 2 ગેસ્ટહાઉસ ખોડલધામ ખાતે બુક કરાવ્યાં છે. એટલુ જ નહીં પણ 9 દિવસ વીરપુર ગામમાં ચૂલો નહીં સળગે, એટલે કે ગામના તમામ લોકોને અહીં જ જમવાનું રહેશે. તે સાથે 1000થી વધુ સ્વયમ સેવકો આ કાર્યક્રમમાં સેવા આપશે.
દાન નથી લેવાતુ વીરપુરમાં
જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી, દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે. છેલ્લા 200 વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત યથાવત છે.