બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Jaishankar remark Pakistan terrorism angry India

માહોલ ગરમ / વિદેશમંત્રી જયશંકરનાં નિવેદનથી પાકિસ્તાનને લાગ્યાં મરચાં, ભારત પર લગાવ્યાં ખોટા આક્ષેપો

Vaidehi

Last Updated: 07:15 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી એસ જયશંકરના આતંકવાદમાં એક્સપર્ટવાળા નિવેદનથી પાકિસ્તાનને મરચાં લાગ્યાં. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ભારતને જવાબ આપ્યો છે. તેમણે એક તરફ પોતાને આતંકવાદથી પીડિત કહ્યાં છે તો બીજી તરફ ભારત પર ખોટા આરોપો લગાવ્યાં છે.

  • જયશંકરના નિવેદનથી  પાકિસ્તાનને લાગ્યાં મરચાં
  • ભારત પર ખોટા આરોપો લગાવ્યાં
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે માહોલ ગરમ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ગરમાં ગરમી વધી ગઇ છે. સોમવારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતની સભામાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદ એક્સપર્ટ છે. તેના સિવાય એવો કોઇ દેશ નથી જેણે આતંકવાદનો ખુલ્લેઆમ આટલું સમર્થન કર્યું હોય.  હવે જયશંકરના આ નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું છે. હંમેશાની જેમ રોષે ભરાયેલ પાકિસ્તાને ફરી એકવાર ભારત પર ખોટાં આક્ષેપો લગાવ્યાં છે.

પાકિસ્તાનનાં વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે જયશંકરનું નિવેદન એ કહેવામાં માટે પૂરતું છે કે ભારતમાં નેતા દરેકવાર આતંકવાદને લઇને પાકિસ્તાનનું નામ દુનિયાભરમાં ખરાબ કરે છે. આવા નિવેદન સંપૂર્ણરીતે ગેરજવાબદાર છે અને અમે તેની નિંદા કરીએ છીએ. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો કે ભારત પોતાની  ધરતીથી આતંકવાદનું સમર્થન કરે છે અને તેના વિરાધમાં કાવતરું પણ રચે છે.

જયશંકર શું બોલ્ચાં?
સોમવારે વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને નિશાનો બનાવ્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ ભારતને દુનિયા IT એક્સપર્ટ માને છે તો બીજી તરફ પાકિસ્તાન પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં એક્સપર્ટ બની ચૂક્યો છે. જયશંકરે કહ્યું કે કોઇ બીજો દેશ આતંકવાદનો આવો સમર્થન નહીં કરતો હોય જે રીતે પાકિસ્તાન કરે છે. દરેક વ્યકિત જાણે છે કે પાકિસ્તાન કઇ રીતે ભારત વિરોધ ષડયંત્ર રચે છે. 26/11 હુમલા પછી આપણને એ સમજવાની જરૂર છે કે આવા વ્યવહારનો સ્વીકાર કરી શકાય નહીં. જો કોઇ આવું કાવતરૂં ફરી રચશે તો તેને પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

પાકિસ્તાનને ભોગવવા પડ્યાં છે પરિણામ

સૌ કોઇ જાણે છે કે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ વારંવાર આતંકી હુમલા કરવામાં આવે છે. ઘણીવાર જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓએ નિર્દોષોની હત્યા કરી છે. પછી તે ઉરી હુમલો હોય કે પુલવામામાં કરવામાં આવેલ આતંકી હુમલો હોય. ભારત તરફથી પણ આતંકીદેશને જડબાતોડ જવાબ આપવામાં આવ્યાં છે. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તો પુલવામાં બાદ એરસ્ટ્રાઇક કરી જવાબ આપ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ