T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનએ 10 વિકેટે પરાજય આપ્યો હતો. ત્યારે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દ્વારા હારનું કારણ જણાવતા ખુશ ન હતા.
ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં 10 વિકેટે હારી ગઈ
વિરાટ કોહલીના આ નિવેદન સાંભળીને અજય જાડેજા નિરાશ થયાં
સિરિઝમાં રહેવા માટે ભારતે આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે
ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં 10 વિકેટે હારી ગઈ
ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં સુપર-12ની પોતાની પ્રથમ મેચમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગઈ હતી. ભારતે પ્રથમ 13 બોલમાં જ બંને ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલીએ હાર બાદ કહ્યું હતું કે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ વાપસી કરવી સરળ નથી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા તેમના નિવેદનથી નિરાશ છે.ભારતે પ્રથમ બેટિંગનું કરવાનો મોકો મળતાં સાત વિકેટે 151 રન જ બનાવી શક્યું હતું. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 68 અને મોહમ્મદ રિઝવાન 79ની અણનમ સદીની ભાગીદારીથી પાકિસ્તાને આસાન વિજય નોંધાવ્યો હતો. મેચ પછી વિરાટે કહ્યું, "જ્યારે તમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવો છો, ત્યારે પાછા આવવું મુશ્કેલ છે.જ્યારે તમે જાણો છો કે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે, ત્યારે તમારે 10-20 વધારાના રનની જરૂર છે. પરંતુ પાકિસ્તાને ઘણી સારી બોલિંગ કરી હતી.
વિરાટ કોહલીના આ નિવેદન અજય જાડેજા નિરાશ થયાં
વિરાટ કોહલીના આ નિવેદન પર અજય જાડેજાએ કહ્યું કે, "મેં તે દિવસે વિરાટ કોહલીનું નિવેદન સાંભળ્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે અમે બે વિકેટ ગુમાવી હતી, ત્યારે અમે પાકિસ્તાન સામેની મેચમાં પાછળ પડી ગયા હતા. હું તેનાથી નિરાશ થયો હતો. જો કોહલી જેવો ખેલાડી મેદાનમાં છે, તો મેચ પુરી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેણે ક્રીઝ પર આવતાની સાથે જ વિચારવાનું શરૂ કર્યું. તેથી, તે ભારતનો દૃષ્ટિકોણ દર્શાવે છે.
સિરિઝમાં રહેવા માટે ભારતે આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે
ભારતના ઓપનર રહી ચૂકેલા અજય જાડેજાનું માનવું છે કે મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડની ટીમનો અભિગમ સાવ અલગ છે. ઈંગ્લેન્ડ હંમેશા આક્રમક રીતે રમે છે પછી ભલેને કોઈ પણ ક્રીઝ પર હોય.ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડની ટીમ સાથે છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. ન્યૂઝીલેન્ડની ટીમને પણ પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ થઈ ગયો છે અને તેણે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી છે. હાર્દિકના બોલિંગ ન કરવાના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. ટીમને છઠ્ઠા બોલરની ખોટ પડી છે.