આવકવેરા વિભાગે પગારદાર અને સિનિયર સિટીઝન માટે રિટર્ન ભરવાની મુદ્દત પૂરી થયાને માંડ અઠવાડિયામાં કર કપાત માટે કરદાતાએ લીધેલી છૂટ મુદ્દે નોટિસ ફટકારી છે અને એ મુદ્દે 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. રાજ્યમાં 3 લાખ કરદાતા અને અમદાવાદમાં અત્યાર સુધી 1 લાખ કરદાતાને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે.
આ સાથે કરદાતા જો 10 દિવસમાં દસ્તાવેજ રજૂ ન કરે તો કરકપાતના દાવા નકારી ટેક્સની ડિમાન્ડ કાઢવામાં આવશે. એક ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, કરદાતા ઈન્કમટેક્સે માંગેલા જરૂરી દસ્તાવેજ પૂરા ન પાડી શકે તો 30 ટકા લેખે ટેક્સ ભરવો પડશે.