અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં વ્યાજખોરે એક પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મહત્વનુ છે કે ગુજરાત હાઈસિંગ બોર્ડમાં રહેતા આરોપી તુલસી પંડિતે બાજુના બ્લોકમાં રહેતા એક પરિવારને 1 લાખ 50 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજથી આપ્યા હતા. આ પરિવાર ઘણા સમયથી તુલસી પંડિતને રૂપિયા આપતું હતું. પરંતુ છેલ્લા 2 મહિનાથી તેમણે રૂપિયા ન આપતા તુલસી પંડિત તેના ઘરે આવીને પરિવારજનો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
આ દરમિયાન વ્યારખોર તુલસી પંડિતે પરિવારજનો પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલા યુવકને તુલસી પંડિતે ધક્કો માર્યો હતો. આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે આરોપી તુલસી પંડિતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.