ગુજરાતમાં કોરોના વાયરસના 95 કેસ થઇ ચૂક્યા છે ત્યારે હવે રેલવે વિભાગ પણ કોરોના સામેની જંગ લડવામાં જોડાયું છે. રેલવે તંત્રએ અમદાવાદ અને ભાવનગર ખાતે રેલવેના કોચમાં જ આઇસોલેશન વોર્ડ ઉભા કરવા કમર કસી હતી.
કોરોના સામેની જંગમાં રેલવે તંત્ર જોડાયું
અમદાવાદ અને ભાવનગર ખાતે રેલવે કોચમાં શરૂ થયાં આઇસોલેશન વોર્ડ
ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની જંગમાં હવે રેલવે વિભાગ પણ આવ્યું છે. ભાવનગરમાં ટ્રેનના કોચમાં જ આઈસોલેશન વોર્ડ ઉભા કારયા છે. આ ઉપરાંત ટ્રેનમાં અન્ય મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે.
ટ્રેનમાં તબીબો માટે પણ ખાસ વ્યવસ્થા
ટ્રેનમાં તબીબો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેમજ મચ્છર ટ્રેનમાં ન પ્રવેશે તે માટે જાળી પણ લગાવી દેવાઈ છે. કોરોનાના દર્દીને અલગ રાખી શકાય તે માટે ટ્રેનનો ઉપયોગ કરાયો છે.
અમદાવાદમાં 22 કોચમાં શરૂ થયાં આઇસોલેશન વોર્ડ
આપને જણાવી દઇએ કે, લોકડાઉન હોવાના કારણે તમામ ટ્રેન બંધ છે. ત્યારે હવે અમદાવાદમાં બંધ રહેલી ટ્રેનના કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. મહામારીને ધ્યાને રાખીને 22 કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા. તમામ કોચમાં દવાખાનાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
ગુજરાતમાં કોરોનાના 95 કેસ
એકલા અમદાવાદમાં જ નવા 7 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. આ મોતને કારણે કોરોનાથી મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 95 થઈ છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાનો એક જ કેસ પોઝિટિવ મળ્યો હતો. આવનારા ચાર પાંચ દિવસમાં ગુજરાતમાં આકંડા ઉપર નીચે થઈ શકે છે. જો કે એ પછી પરિસ્થિતિ સ્ટેબલ થઈ જશે એવું તબીબોનું માનવું છે.