યુનાઈટેડ કિંગડમમાં અત્યારે કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યું છે. કોરોના વાયરસે પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ પોતાની ઝપેટમાં લીધા છે ત્યારે ઇસ્કોનના અનુયાયીઓમાં પણ કોરોના વાયરસ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા બધા લોકોમાં વાયરસ ફેલાયો હશે જે બાદ ઇસ્કોને સ્પષ્ટતા કરી છે કે 21 અનુયાયીઓમાં કોરોના વાયરસ ફેલાયો છે.
ઇસ્કોન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ પોસ્ટ વિશે સ્પષ્ટતા આપવામાં આવી
12મી માર્ચે અંતિમવિધિમાં સામેલ થયા હતા 1000 લોકો
જ્યારે અંતિમવિધિ થઇ ત્યારે પરિસ્થતિ સામાન્ય જ હતી : ઇસ્કોન
5 અનુયાયીઓનું મોત
યુકેના ઇસ્કોન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ પોસ્ટ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. સત્તાવાર આંકડાં પ્રમાણે 21 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 5 અનુયાયીઓનું મોત થઇ ગયું છે. સોશિયલ મીડિયામાં તો 100 લોકોના કોરોના પોઝિટિવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેને ઇસ્કોન દ્વારા વખોડી કાઢવામાં આવ્યું.
ઇસ્કોનના અનુયાયીઓ એક ભાવિકના અંતિમવિધિમાં સામેલ થયા હતા
નોંધનીય છે કે ઇસ્કોનના અનુયાયીઓ એક ભાવિકના અંતિમવિધિમાં સામેલ થયા હતા જેમાં એક હજાર લોકો સામેલ થયા હતા. જે બાદ એવી માહિતી પ્રસરી ગઈ કે તેમાં સામેલ થયેલ ઘણા બધા લોકોમાં કોરોના ફેલાયો હશે. જે બાદ હવે ઇસ્કોન દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અંતિમવિધિ 12મી માચે કરવામાં આવી હતી અને વડાપ્રધાન બોરિસ જોન્સને 23મી માર્ચે લોકડાઉનની જાહેરાત કરી. તથા જે સમયે અંતિમવિધિ ત્યારે અહિયાં બધું જ સામન્ય હતું.
યુનાઈટેડ કિંગડમમાં 6 એપ્રિલ સુધી અહીં 47806 પોઝિટિવ કેસ
ઇસ્કોન દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે દેશમાં આવા હાલાત થયા પછીથી સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે તથા દરેક જગ્યાએ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. યુનાઈટેડ કિંગડમમાં 6 એપ્રિલ સુધી અહીં 47806 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4934 લોકોના મોત થયા છે.