કોરોના વેક્સિનના બે ડોઝને લઈને ફરી કરવામાં આવશે સ્ટડી
સિંગલ ડોઝ અસર કરે છે કે નહીં?
બે ડોઝને લઈને ફરી કરવામાં આવશે સ્ટડી
કોવિશલ્ડનો પણ સિંગલ ડોઝ રહેશે અસર કારક?
દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે સરકાર કોવિડ વેક્સિન ટ્રેકર પ્લેટફોર્મમાંથી ડેટા એકત્રિત કર્યા બાદ કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝની વચ્ચેનું અંતર વધારવાના પોતાના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ડેટા સરકારને એ નક્કી કરવામાં પણ મદદ કરી શક છે કે કોવિશીલ્ડના સિંગલ ડોઝના નિયમને મંજૂરી આપવી જોઈએ કે નહીં. સૂત્રોના કહેવા પ્રમાણે નવા પ્લેટફોર્મના ડેટા ઓગસ્ટની આજુબાજુ એનાલિસિસ કરવામાં આવી શકે છે.
90 ટકા લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી છે
ભારતમાં 16 જૂનને શરૂ થયેલા વેક્સિનેશન બાદ લોકોને આપવામાં આવેલા કુલ ડોઝમાં લગભગ 90 ટકા લોકોને કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ રશિયાની સ્પૂતનિક વી પણ એમુક લોકોને આપવામાં આવી રહી છે.
નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યૂનાઈઝેશન હેઠળ કોવિડ વર્કિગ ગ્રુપના અધ્યક્ષ ડો.એન કે અરોડાએ કહ્યું કે "એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જ્યાં ક્લિનિકલ ડેટા, વેક્સિન ડેટા અને દરેક રોગોના ડેટાના સંદર્ભમાં પ્રસાશનિક ડેટા એમ ત્રણ સેટ બનાવવામાં આવશે. તેના આધાર પર અમે વેક્સિનની અસર, લોકોમાં ફરી થયેલા સંક્રમણ અને ટ્રેન્ડ્સ જોઈશું. આ વચ્ચે લોકોમાં વેક્સિનની કવરેજ પણ વધી."
સિંગલ ડોઝ અસર કરે છે કે નહીં?
અરોડોએ જણાવ્યા અનુસાર, માર્ચ-એપ્રિલમાં કોરોનાની વેક્સિનના અસરની અસર પર અભ્યાસ કરવાની જરૂરીયાત પર ચર્ચા શરૂ થઈ. એક રિપોર્ટ અનુસાર સમિક્ષાનો એક અન્ય ઉદ્દેશ્ય એ પણ છે કે સિંગલ ડોઝ અસર કરે છે કે નહીં. એક સૂત્રોના જણાવ્યા અનુસાર, "એક તર્ક આપવામાં આવી રહ્યો છે કે અન્ય વાયરલ વેક્ટર વેક્સિનમાં સિંગલ વેક્સિન ડોઝ હોય છે અને તે કોવિશીલ્ડ માટે પણ કામ કરી શકે છે. જે સિંગલ ડોઝ વેક્સિનની રીતે શરૂ કરવામાં આવી હતી. "