કેરળમાં 38 દિવસ બાદ પહેલી વાર શનિવારે કોરોનાના 16,148 નવા કેસ નોંધાતા ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા જોવાઈ રહી છે.
કેરળમાં 38 દિવસ બાદ નોંધાયા 16 હજાર કરતા વધારે કોરોનાના કેસો
કેરળમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા
રાજ્યમાં 31 લાખ કરતા વધારે કોરોનાના કેસો
છેલ્લી વાર 9 જુને કેરળમાં 16 હજાર કરતા વધારે કેસ આવ્યાં હતા. કેરળમાં કોરોના સંક્રમણ કેસો વધીને 31.46 લાખ થયા છે. જ્યારે 114 લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 15 હજાર 269 થઈ છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતાં જોવા મળી રહ્યા છે. એક બાજુ જ્યાં ગુજરાત જેવા રાજ્યો અનલોક થઈ રહ્યા છે ત્યાં તમિલનાડુમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના બે રાજ્યો તમિલનાડુ અને કેરળમાં કોરોના વાયરસના કારણે ખતરાની ઘંટી વાગી છે.
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટલ, ચાની દુકાન, બેકરી, રેસ્ટોરન્ટને પણ 9 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવો છે. જોકે ગ્રાહકોની સંખ્યાને 50 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. સ્કૂલ-કૉલેજ, સિનેમાહૉલ, સ્વીમિંગ પૂલ, ઝૂને બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
નોઈડામાં ધારા 144 લાગુ
આગામી તહેવારો અને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને યુપીના નોઇડામાં ધારા 144ને 30મી ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવી છે.
ત્રિપુરામાં કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું
કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ત્રિપુરામાં 17 જુલાઇ સુધી કોરોના કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે.