અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની હત્યાબાદ જાતિવાદ બાદ મામલો ગરમાયો છે. દુનિયાભરમાં આ ઘટનાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે હવે આ મામલો ભારત આવી પહોંચ્યો છે.
જાતિવાદને લઇને ક્રિકેટર ઇરફાન પઠાણે કરી ટ્વીટ
લોકોએ સવાલો પૂછીને કર્યો ટ્રોલ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સ્થાનિક ક્રિકેટમાં જાતિવાદ હોવાની વાતને સ્વીકારી હતી. આ સાથે જ પૂર્વ ઓપનર આકાશ ચોપડાએ કહ્યું હતું કે, ઇગ્લેન્ડમાં લીગ રમતી વખતી જાતિવાદનો સામનો કર્યો ગતો.
જાતિવાદને લઇને ક્રિકેટર ઇરફાન પઠાણે કરી ટ્વીટ
નોંધનીય છે કે, ઇરફાન પઠાણે મંગળવારે એક ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું કે, જાતિવાદ માત્ર તમારી ત્વચાના રંગ સુધી મર્યાદિત નથી, જો તમારો વિશ્વાસ અલગ છે તો તેના કારણે સોસાયટીમાં એક ઘર પણ મળતું નથી. આ ઘટના પણ એક પ્રકારનો જાતિવાદ છે.
Racism is not restricted to the colour of the skin.Not allowing to buy a home in a society just because u have a different faith is a part of racism too... #convenient#racism
તો તેની આ ટ્વીટ બાદ ઇરફાન પઠાણ ટ્રોલ થયો હતો અને લોકોએ ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે, કાશ્મીરી પંડિતો સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેમને ફરજીયાત સ્થળાંતરણ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવે છે અને વહુ-દીકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવે છે. તેનું શું ?
ભારતીય તરીકે અભિપ્રાય આપતો હોવાનો કરવો પડ્યો ખુલાસો
જો કે, ત્યારબાદ ઇરફાને બુધવારે જવાબ આપ્યો હતો કે, હંમેશા મારો અભિપ્રાય એક ભારતીય તરીકે જ રહ્યો છે. હું રોકાઇશ નહીં. જો કે, લોકોએ પણ લખ્યું હતું કે, અમે બધા જ તેમને એક ભારતીય તરીકે સમર્થન કરીએ છીએ.
My opinions are always as an indian and for India,I will not stop...
India loves you bhai & will always do it but...But don't be tool of fake secularism agenda . Tricolor behind you has colors of equality for every citizen .
Unfortunately ,Your silence on #KashmiriPandit & echo on agenda-run issues hurts .
Be healthy , be happy .😊🇮🇳✌️
— चाचा विधायक हैं, लेकिन Quarantine हैं 🇮🇳 (@AshuCrix) June 10, 2020