બ્રેકિંગ ન્યુઝ
VTV / irctc to passengers do not cancel train tickets you will get refund automatically
Krupa
Last Updated: 11:12 PM, 24 March 2020
ADVERTISEMENT
એવામાં ભારતીય રેલવે ખાણીપીણી અને પર્યટન નિગમના લોકોને કહ્યું છે કે એ એવી ટ્રેનો માટે ઑનલાઇન બુક કરવામાં આવેલી ટિકીટોને રદ ના કરે જેને રદ કરી દીધી છે અને એમને આશ્વાસન આપ્યુ છે કે એમને જાતે જ સમગ્ર પૈસા મળી જશે.
એનાથી પહેલા રેલવેએ કાઉન્ટર ટિકીટ રદ કરવા માટે 21 જૂન સુધીનો સમય ત્રણ મહિના વધારી દીધા હતા. આઇઆરસીટીએ એક નિવેદનમાં કહ્યું કે રેલવે યાત્રી ટ્રેનોને બંધ કર્યા બાદ ઇ ટિકીટને રદ કરવાને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
એમાં કહેવામાં આવ્યું છે કે 'યાત્રીની તરફથી કોઇ રદ કરવાની જરૂર છે. જો યાત્રી પોતાની ટિકીટ રદ કરે છે તો શક્યતા છે કે એમા પૈસા ઓછા મળે. યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે એ ટ્રેનો માટે ઇ-ટિકીટને રદ ના કરે, જેને રેલવેએ રદ કરી દીધી છે. '
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઇ-ટિકીટના બુકિંગ માટે યાત્રી દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ખાતામાં એમના પૈસા મોકલી દેવામાં આવશે. રેલગાડી રદ થવાના કેસમાં રેલવે દ્વારા કોઇ ફી કાપવામાં આવશે નહીં.' નોંધનીય છે કે રેલેવેએ કોરોના વાયરસના ધ્યાનમાં રાખીને રેલગાડીઓ 31 માર્ચ સુધી રદ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.