UAEથી રાફેલ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અલ ધાફ્રા એરબેસ જ્યાં રાફેલ વિમાન રાખવામાં આવ્યા છે. ત્યાં ઇરાનની મિસાઇલ પડી છે. અલ ધાફ્રા એરબેસ પર અમેરિકી વિમાનો પણ રખાયા છે. જો કે ભારતના પાંચેય રાફેલ વિમાન સુરક્ષિત છે.
મિસાઈલનું અમેરિકા અને ફ્રાંસીસ સેન્ય અડ્ડાઓ પાસે પરિક્ષણ કરવામાં આવ્યુ
ઓછામાં ઓછી 3 મિસાઈલો ખાડીમાં પડી હોવાના સમાચાર મળ્યા
ભારતના પાંચેય રાફેલ વિમાન સુરક્ષિત છે
અમેરિકાની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ઈરાને મંગળવારે સંયુક્ત અરબ અમીરાત સ્થિત ફ્રાન્સના અલ ધાફ્રા હવાઈ અડ્ડાની પાસે સમુદ્રમાં અનેક મિસાઈલો તાકી હતી. આ ઈરાની મિસાઈલ પરિક્ષણ બાદ સમગ્ર ફ્રાંસીસ બેસને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અલ ધાફ્રા એરબેસ પર આજે ભારત આવી રહેલા 5 રાફેલ ફાઈટર જેટ ઉભા હતા અને તેમની સાથ ભારતીય પાયલટ પણ હતા. ઈરાની ભારતીય ખતરાને જોતા ભારતીય પાયલોટોને સુરક્ષિત જગ્યાએ છુપાવા કહેવામાં આવ્યું છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડને ઈરાની મિસાઈલ ટેસ્ટની પુષ્ટિ કરી અને કહ્યું કે ઈરાને મંગળવારે અલ સુબહમાં સ્ટ્રેટ ઓફ હરમુજની પાસે મિસાઈલો લાધી હતી. સૂત્રોના જણાવ્યાનું સાર મિસાઈલનું અમેરિકા અને ફ્રાંસીસ સેન્ય અડ્ડાઓ પાસે પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. ઓછામાં ઓછી 3 મિસાઈલો ખાડીમાં પડી હોવાના સમાચાર મળ્યા છે.
ઈરાની મિસાઈલ કતારના અલ ઉદેઈદ અને યૂએઈના અલ ધાફ્રા અડ્ડા પાસે પડી હતી. જ્યાં ભારતીય વાયુસેનાના નવા નક્કોર રાફેલ ફાઈટર જેટ ઉભા હતા. મિસાઈલ હુમલા બાદ ફ્રાંસીસ એરબેસને એલર્ટ કરાયા હતા. ભારતીય પાયલટોને સુરક્ષિત સ્થાને લઈ જવાયા છે. ઉલ્લેખનીય છે કે 5 રાફેલ આજે ભારત અંબાલા એરબેસ પહોંચશે. આજે તેઓ યુએઈમાંથી ઉડાન ભરશે અને બપોરે 2 વાગ્યાની આસપાસ ભારત પહોંચશે.