બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઇરાનના પશ્ચિમી શહેર ઇજેહમાં બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ છે. જોકે હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું અને અત્યાર સુધીમાં કોઈ આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી નથી લીધી.
Iran | Gunmen opened fire in a bazaar in the southwestern Iranian city of Izeh, killing at least five people & wounding civilians and security forces, reports The Associated Press
— ANI (@ANI) November 16, 2022
ADVERTISEMENT
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા
આ ઘટના અંગેની માહિતી આપતા એક ખાનગી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. આ હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષાદળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે, આ હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
પ્રદર્શનકારો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, બુધવારે કેટલાંક પ્રદર્શનકારીઓ અહીં એકત્ર થયા હતા અને તેઓ સરકાર વિરોધી નારા લગાવી રહ્યાં હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર, આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા કાબુમાં લઇ લેવાઇ હતી. જોકે આ જ જગ્યાએ બાદમાં ફાયરિંગ થયું હતું.
26 ઓક્ટોબરે શિરાઝ શહેરમાં પણ ફાયરિંગ થયું હતું
આ અગાઉ 26 ઓક્ટોબરના રોજ ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 3 હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે ઘટી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી.
ADVERTISEMENT
હિજાબ વિવાદને લઈને પ્રદર્શનો શરૂ
તમને જણાવી દઈએ કે, હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. 13 સપ્ટેમ્બરના રોજ, પોલીસે મહસા અમીન નામની એક મહિલાની યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારથી સમગ્ર વિશ્વમાં મહસાના સમર્થનમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ઈરાનમાં છેલ્લા 2 મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક અથડામણો થઈ છે, જેમાં ડઝન લોકો ઘાયલ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.