નવી દિલ્હીઃ આઇપીએલના 11માં મુકાબલામાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે આજે(મંગળવાર)ના રોજ અહીં ફાઇનલમાં પહોંચવાની ખેચતાણ થશે. ક્વોલિફાયર 1ના મુકાબલામાં બે પૂર્વ ચેમ્પિયન ટીમોની વચ્ચે મોટી ટક્કર થશે. બન્ને ટીમોએ એક સરખા અંક મેળવ્યા પરંતુ નેટ રનરેટમાં હૈદરાબાદ પહેલા સ્થાને રહી. મહત્વનું છે કે જે કોઇ ટીમ હારશે તેને હજી એક મોકો મળશે.
સમયમાં ફેરફારનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે મેચ મોડી પૂરી થતાં પ્રશંસકોને ઘરે જવામાં તકલીફ થાય છે અને ટીવી પર પણ મેચ જોનારાઓને મોડી રાત સુધી જાગવું પડે છે. બોર્ડનું માનવું છે કે આ વખતે જો સમયમાં ફેરફારની રણનીતિ કામ કરી જશે તો આગામી વર્ષથી IPLની મેચો 7 વાગ્યે જ શરૂ થાય એવું બની શકે છે.
પ્લેઓફ મેચનો સમય પહેલાથી બદલાઇ ગયો છે થોડાક દિવસો પહેલા જ IPLના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે પ્લેઓફ અને ફાઇનલ મેચો રાત્રે 8 વાગ્યાને બદલે 7 વાગે શરૂ થશે અને અને ટૉસ 6 વાગે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 27 મે IPLની સિઝન 11ની ધમાકેદાર ફાઇનલ મેચ રમાનાર છે.