ગુજરાતના બે મોટા શહેરોમાં CAAનો વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને વડોદરામાં CAAનો વિરોધ કરાયો છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે ADGP મનોજ શશીધરને ઈન્ટરનેટ વિશે નિર્ણય લેવાની સત્તા આપી છે. જો કે આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી.
ઈન્ટરનેટ સેવા રાજ્યમાં બંધ નહીં થાય
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
ઈન્ટરનેટ સેવા બંધ કરવાની નથી મંજૂરી:પ્રદિપસિંહ
પ્રદિપસિંહ જાડેજાએ કેન્દ્રીય ગૃહ વિભાગે ADGPને ઈન્ટરનેટ વિશે નિર્ણય લેવાની સત્તા આપી હોવાની વાતને નકારી હતી અને કહ્યું કે, ઇન્ટરનેટ સેવા બંધ કરવાની મંજૂરી નથી આપી અને આથી રાજ્યમાં ઈન્ટરનેટ બંધ નહીં થાય.
ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં તોફાનો થયા હતા આજે વડોદરામાં પણ પથ્થરમારો થયો હતો ત્યારે સોશિયલ મીડિયાને અટકાવવા ગૃહવિભાગે સૂચના આપી છે.
દેશમાં કઈ રીતે ઇન્ટરનેટ પર લાગે છે પ્રતિબંધ?
કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ ઇન્ટરનેટ પ્રતિબંધનો આદેશ આપે છે.
આ ઓર્ડર એસપી અથવા તેથી ઉપરના અધિકારી દ્વારા મોકલવામાં આવે છે. ત્યારબાદ અધિકારી સર્વિસ પ્રોવાઈડરને ઈન્ટરનેટ સર્વિસ બ્લોક કરવા અંગે જણાવે છે.
ઓર્ડર આગામી કાર્યકારી દિવસની અંદર કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સમીક્ષા પેનલને મોકલવામાં આવે છે. આ સમીક્ષા પેનલએ 5 કાર્યકારી દિવસોમાં તેની સમીક્ષા કરવાની હોય છે. કેન્દ્ર સરકારની સમીક્ષા પેનલમાં કેબિનેટ સચિવ, કાયદા સચિવ અને દૂરસંચાર સચિવનો સમાવેશ થાય છે. જ્યારે, રાજ્ય સરકારે આપેલા આદેશની સમીક્ષા પેનલમાં મુખ્ય સચિવ, કાયદા સચિવ અને અન્ય એક સચિવનો સમાવેશ થાય છે.