કોરોના વાયરસની મહામારીની વચ્ચે ડિરોક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ભારતમાં શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ઉડાનોની આવનજાવન પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત ચાલનારી ફ્લાઈટો યથાવત રહેશે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ હતો. ડીજીસીએના આદેશ અનુસાર ફક્ત સિલેક્ટેડ વિમાનોની અવરજવરની પરવાનગી છે.
પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો
ફક્ત સિલેક્ટેડ વિમાનોની અવરજવરની પરવાનગી
સ્થિતિ સમાન્ય થવામાં 2024 સુધીનો સમય લાગશે
ધ્યાનમાં રહે કે ભારતમાં કોરોનાની મહામારીને કારણે 2 મહિનાના વિરામ બાદ 25 મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ફરી શરુ કરવામાં આવી હતી. આ બાદ વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓને પાછા લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું હતુ અને અનેક દેશોની સાથે એર બબલ કરાર કરવામાં આવ્યા હતા. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ -19 ડોમેસ્ટિક ફ્લાઈટના મોટા ભાગના 60 ટકા સંચાલનની પરવાનગી છે.
વિમાની મુસાફરીને 2019 જેવી સામાન્ય થવામાં 2024 સુધીનો સમય લાગશે
એર કંપનીઓના International Air Transport Associationના સીઈઓ એલેક્ઝેન્ડર ડી જુનિયાકે કહ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રેવેન્યૂ પેસેન્જર કિલોમીટર (રાજસ્વ પ્રવાસી કિલોમીટર) પોતાની 2019ની સ્થિતમાં વર્ષ 2024 સુધીમાં પાછા ફરશે. તેમણે કહ્યું કે જો વાયરસ પર નિયંત્રણ મેળવવામાં કે વેક્સીન વિકસિત કરવામાં આપણે સફળ ન થયા તો આ સમય આગળ ધકેલાઈ શકે છે.