કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને DGCA દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટો પરનો પ્રતિબંધ લંબાવામાં આવ્યો છે. પહેલા 31 જુલાઈ સુધી પ્રતિંબધ લગાવામાં આવ્યો હતો જે પ્રતિબંધ હવે 31 ઓગસ્ટ સુધી લંબાવાયો
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે રજુ કરવામાં આવેલ સર્કુલરમાં કહેવામાં આવ્યું કે આ પ્રતિબંધ ડીજીસીએ દ્વારા અપ્રુવ્ડ ફ્લાઈટો પર લાગૂ કરવામાં નથી આવ્યો.
31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લંબાયો
ભારતમાં આવવા અને જવા માટેની ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટો પર આ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જે 31 જુલાઈએ ખતમ થવાનો હતો. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો જેને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યો છે.જોકે ડીજીસીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધનો અસર કાર્ગો વિમાન ઉપર નહી પડે.
23 માર્ચ 2020થી લાગ્યો છે પ્રતિબંધ
જોકે આ પ્રતિબંધથી તે ફ્લાઈટોને પણ રાહત મળશે જેને DGCA દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે 23 માર્ચ 2020થી આંતરાષ્ટ્રિય ફ્લાઈટોને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2020તી વંદેભારત મીશન અભિયાન અંતર્ગત વિશેષરૂપે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. જેમા અમુક દેશોની ખાસ પસંદગી કરવામાં આવી છે.
ત્રીજી લહેરની આશંકાને લઈને લેવાયો નિર્ણય
અમેરિકા, બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત, કેન્યા, ભૂટાન અને ફ્રાંસ સહિતના દેશો સાથે ભારls એયર બબલ કરાર કર્યો છે. જેથી ત્યાની ફ્લાઈટો ચાલુ રાખવામાં આવી છે. આ ફ્લાઈટોનું સંચાલન પણ એયરલાઈન કંપનીઓ દ્વારાજ કરવામાં આવી રહ્યું છે. હાલ ત્રીજી લહેરની આશંકાને લઈને આ પ્રતિબંધ વધારવામાં આવ્યો છે.
દેશમાં 4 લાખ કરતા વધારે એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં 4 લાખ કરતા પણ વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,315 સુધી વધી છે. જેને અનુલક્ષીને સરકાર દ્વારા યોગ્ય પગલાઓ લેવામાં આવી રહ્યા છે.