રાજકોટના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ કેમ કોંગ્રેસને છોડી તે અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, તેમની નારજગી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની રચના મુદ્દે હતી
ઈન્દ્રનીલ રાજ્યગુરુ કેમ છોડ્યો `હાથ'?
સામે આવ્યું નારાજગીનું કારણ
ગઈકાલે જ `આપ'માં જોડાયા છે રાજ્યગુરુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગીનું કારણ આવ્યું સામે
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગઈ કાલે કોંગ્રેસનો હાથ છોડી AAPમાં જોડાયા હતાં. ત્યારે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરૂની નારાજગીનું કારણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસની સમિતિ રચના મુદ્દે મારી નારાજગી હતી. તેમણે કહ્યું જૂથવાદ ઠારવા પ્રદેશ કક્ષાએથી લોકલ સમિતિ બનાવવાનો આદેશ કરાયો હતો. જે માટે પાંચ સભ્યોની સમિતિ બનાવવા માટે કહેવાયું હતું. જ્યારે તેઓએના જૂથે આપેલા સભ્યનું નામ ન સ્વીકારાતા અંતે તેઓએ પક્ષ છોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા
હાર્દિક પટેલને લઇ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ નિવેદન મોટું નિવેદન
હાર્દિક પટેલને લઇ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે. હાર્દિક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. હાર્દિકને લેવા કે નહીં તે પાર્ટી નક્કી કરશે
રાજકોટ મનપામાં વિપક્ષ તરીકે હવે AAP બેસશે-ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે, રાજકોટ મનપામાં વિપક્ષ તરીકે હવે AAP બેસશે. મહત્વનું છે કે, ગઇકાલે કોંગ્રેસના બે કોર્પોરેટર AAPમાં જોડાયા છે. આમ રાજકોટ
મનપામાં કુલ 72 માંથી 68 કોર્પોરેટર્સ ભાજપના છે. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના 4 સભ્યો વિજેતા બન્યા હતાં. જેમાંથી 4માંથી બે કોર્પોરેટર AAPમાં જોડાઇ ગયા જેથી હવે આપને વિપક્ષ તરીકે બેસવા ત્રણ કોર્પોરેટરની જરૂર છે.
વિપક્ષ પદ મેળવવા AAPની રણનીતિ શું?
VTV સાથે ખાસ વાતચીતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન કોંગ્રેસના 2 કોર્પોરેટરો AAPમાં જોડાયા બાદ મનપામાં વિપક્ષ પદ માટે આપને એક કોર્પોરેટરની જરૂર છે. કોંગ્રેસના ત્રીજા કોર્પોરેટર પણ ટૂંક સમયમાં AAPમાં આવશે. વધુ એક કોર્પોરેટર આવતા પક્ષાંતર ધારો નહીં લાગે. તેમણે રાજકોટમાં આગામી રણનીતિ અંગે કરી વાત કરતાં કહ્યું કે, અમે દિલ્લીની જેમ ગુજરાતમાં સરકાર બને તેવી કામગીરી કરીશું. ભાજપથી લોકો ખૂબ કંટાળ્યા છે. કોંગ્રેસમાં હવે કોઇ દમ નથી. 2022માં AAP પાર્ટી આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ નિષ્ક્રિય થઈ ગઈ છે. જ્યારે ભાજપનો કાર્યકર દબાણો કરે છે. ત્યારે AAPનો કાર્યકર લોકોની વચ્ચે હશે. તેમણે કહ્યું કે,રાજકોટના લોકોને AAPમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું કે,
AAPમાં જોડાયેલા કોર્પોરેટર સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી
બીજી તરફ કોંગ્રેસે AAPમાં જોડાયેલા બંને કોર્પોરેટર્સને સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે, ગત રોજ વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ પણ AAPમાં જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષાંતર ધારા હેઠળ બંને કોર્પોરેટર કાર્યવાહી કરી શકે છે. કારણ કે તઓ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા
ો