ઈન્દોર અગ્નિકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. આગ લગવાનું કારણ શોર્ટ સર્કિટ નહીં પરંતુ પ્રેમમાં પાગલ આશિકનું હતું. જેણે પ્રેમિકાના સ્કૂટરમાં આગ ચાંપી હતી.
ઈન્દોરમાં લાગેલ આગમાં હોમાયા 7 લોકો
આરોપીએ પ્રમિકા જોડે બદલો લેવા લગાવી હતી આગ
આરોપી ઉપર કલમ 302 અને કલમ 436 લગાવવામાં આવી
ઈન્દોરમાં લાગેલ આગનું કારણ આવ્યું સામે
ઈન્દોરના વિજય નગરની એક ઇમારતમાં શુક્રવારે મોડી રાતે એક ભયાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જેમાં સાત લોકોના મૃત્યુ થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સાવરવાર માટે એમ.વાય. હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ આગની પોલીસ તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી એવું અનુમાન લગાવ્યું હતું. પરંતુ જ્યારે cctv ફૂટેજ સામે આવ્યા ત્યારે બધો મામલો સામે આવ્યો કે આગ શોર્ટ સર્કિટથી નહીં પરંતુ એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવી હતી.
કયા કારણથી યુવાને લગાવી હતી આગ
ઈન્દોરમાં લાગેલ આગનું કારણ કોલોનીમાં રહેતો 27 વર્ષીય શુભમ દીક્ષિત ઉર્ફે સંજય નામનો યુવક છે. સંજય ઇમારતમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો. પરંતુ થોડા સમય પહેલા બંને વચ્ચે અણબનાવો ચાલી રહ્યા હતા અને પૈસા બાબતે પણ બંને વચ્ચે ઝગડાઓ ચાલતા હતાં. જેનો બદલો લેવા માટે યુવકે યુવતીના સ્કૂટરમાં આંગ ચાંપી કરી હતી જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ખૂબ મોટી જાનહાનિ થઈ હતી. આ વાતની જાણ થતાં યુવક પોલીસથી ભાગી રહ્યો હતો.પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પહેલા એજ ઇમારતમાં રહેતો હતો આરોપી સંજય
આરોપી સંજય થોડા સમય પહેલા આ ઇમારતમાં જ રહેતો હતો અને ઇમારતમાં રહેલ એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ બંને વચ્ચે અણબનાવ બનતા યુવકે એ ઇમારત છોડી દીધી હતી અને એક કોલોનીમાં બીજે રહેવા ચાલ્યો ગયો હતો. આરોપી બનાવની રાતે 2.54 વાગે ઇમારતમાં આવે છે અને ત્યાં જ રાખેલ એક ગાડી માંથી પેટ્રોલ કાઢે છે અને 3.01 વાગે યુવતીની ગાડીમાં આગ લગાવે છે. ત્યારપછી આરોપી cctv કેમેરાની પણ તોડફોડ કરે છે. પોલીસે દીક્ષિત સામે ભારતીય દંડ સંહિતા (IPS) કલમ 302 (હત્યા) અને 436 (ઇમારતને આગ લગાડવાના ઇરાદાથી જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ) હેઠળ કેસ નોંધ્યો છે.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી:" મધ્યપ્રદેશના ઈન્દોરમાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે "ઈન્દોરના સ્વર્ણ બાગ કોલોનીમાં થયેલા અકસ્માતમાં અનેક અમૂલ્ય જીંદગીના અકાળે મોતના દુઃખદ સમાચાર મળ્યા.મેં ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જેની બેદરકારી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના નજીકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે.