ન્યુઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે.
ન્યુઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. 16 ખેલાડીઓની આ ટીમમાં કેટલાક નવા અને કેટલાક અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં આરામ પર હશે અને એક સિનિયર અનુભવી ખેલાડી તરીકે રહાને ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે.
કોહલી પ્રથમ ટેસ્ટમાંથી બહાર
ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમનો કેપ્ટન ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે. જ્યારે કોહલી બીજી ટેસ્ટમાંથી વાપસી કરશે.
BCCI announces India's squad for Tests against New Zealand: A Rahane (C),C Pujara (VC),KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK),KS Bharat (WK),R Jadeja, R Ashwin,A Patel, J Yadav,I Sharma,U Yadav, Md Siraj,P Krishna
રોહિત શર્મા આ સિરીઝમાંથી બહાર થવા જઈ રહ્યો છે. રોહિત સિવાય અન્ય ઘણા ખેલાડીઓ છે જેઓ આ શ્રેણીમાં નહીં રમે. આમાં રિષભ પંત અને જસપ્રિત બુમરાહનું નામ પણ સામેલ છે.
આ નવા ખેલાડીઓને મળ્યો ચાન્સ
સાથે જ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. એવા પણ ઘણા ખેલાડીઓ છે જે ભારત માટે પ્રથમ વખત ટેસ્ટ રમશે. તેમાં યુવા બેટ્સમેન કેએસ ભરત, શ્રેયસ અય્યર અને પ્રસિધ કૃષ્ણાના નામ આવે છે. આ સાથે જ જયંત યાદવને લાંબા સમય બાદ ફરી એકવાર ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ફરી એકવાર શુભમન ગિલ પણ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે.