ભારતીય રેલ્વેએ શુક્રવારે આશ્વાસન આપ્યું કે કોઈની નોકરી જશે નહીં પણ આવનારા દિવસોમાં રેલ્વેના કર્મચારીઓના કામના પ્રકાર બદલવામાં આવે તે શક્ય છે. રેલ્વેએ એક પત્ર જાહેર કરીને પ્રબંધકોને સૂચના આપી કે નવી નિમણૂંક થોડા સમય પૂરતી રોકી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર ભારતીય રેલ સંખ્યામાં ઘટાડો નહીં કરે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપશે.
ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
કોઈને નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં
કર્મચારીઓના કામના પ્રકાર બદલવામાં આવશે
કામનો પ્રકાર બદલાશે
જ્યારે કર્મચારીઓના કામનો પ્રકાર બદલવામાં આવશે ત્યારે તેમને તે માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તેઓએ કહ્યું છે કે અમે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપીશું, નોકરીથી કાઢીશું નહીં, અમે કૌશલ વિનાની નોકરીઓથી કૌશલ વાળી નોકરીઓ તરફ જઈ રહ્યા છીએ. ગુરુવારે આપવામાં આવેલા આદેશથી ઉલ્લેખ એટલો છે કે એવા પદ પર નિમણૂંકથી બચવું જેમાં કોઈ કામ નથી. આમ કરવાથી ભારતીય રેલ્વે ઉચિત જગ્યાએ નવી નિમણૂંક કરી શકે છે. ૉ
નિયુક્તિની પ્રક્રિયા ચાલુ રહેશે
તેઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે જે પદ પર નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે ચાલુ રહેશે અને સાથે આ બાબતે જે સૂચના જાહેર કરવામાં આવી છે તેને લઈને કોઈ ફેરફાર આવશે નહીં. ભારતીય રેલમાં અત્યારે 12,18, 335 કર્મચારીઓ છે અને તે પોતાની કમાણીનો 65 ટકા ભાગ વેતન અને પેન્શન પર ખર્ચ કરે છે.