જો બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવામાં નહીં આવે તો વાર્ષિક રૂપિયા 118 (રૂપિયા 100 સર્વિસ ચાર્જ + રૂપિયા 18 GST) મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે ખાતાધારકના ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે વસૂલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે.
પોસ્ટ બચત ખાતા ધારકોને બચત ખાતા સંબંધિત લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ રાખવું આવશ્યક છે જેની તમામ બચત ખાતા ધારકોને નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.