બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Indian Navy's Advanced Light Helicopter crashes in Mumbai

BIG NEWS / ભારતીય નૌકાદળનું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર મુંબઈમાં દુર્ઘટનાગ્રસ્ત, 3 ક્રૂ સભ્યો સલામત

Priyakant

Last Updated: 01:00 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેવીએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરના ત્રણ ક્રૂ સભ્યોને નેવી પેટ્રોલિંગ જહાજ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

  • ભારતીય નૌકાદળનું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર મુંબઈમાં દુર્ઘટનાગ્રસ્ત 
  • સદનસીબે 3 ક્રૂ સભ્યો સલામત,  ભારતીય નૌકાદળે આપ્યા તપાસના આદેશ 
  • બુધવારે સવારે ઉડાન દરમિયાન મુંબઈ કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું ALH 

ભારતીય નૌકાદળનું એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) બુધવારે સવારે નિયમિત ઉડાન દરમિયાન મુંબઈ કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. નૌકાદળનું પેટ્રોલિંગ જહાજ દ્વારા તરત જ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી અને 3 ક્રૂ સભ્યોની સલામત હોવાનું કહ્યું છે. આ તરફ ભારતીય નૌકાદળે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. 

ભારતીય નૌકાદળનું એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) બુધવારે (8 માર્ચ) સવારે મુંબઈ કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. નેવીએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરના ત્રણ ક્રૂ સભ્યોને નેવી પેટ્રોલિંગ જહાજ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં સેનાનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ પાંચ જવાનોના મોત થયા હતા. જીવલેણ અકસ્માત પછી, સાવચેતીના પગલા રૂપે, દેશની ત્રણ સેવાઓમાં સેવા આપતા તમામ ALHs,જેની સંખ્યા 300 થી વધુ છે, સુરક્ષા તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.  

આ પહેલા કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટનું મોત થયું હતું. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હેલિકોપ્ટર બાંદીપોરા જિલ્લાના ગુરેઝના બરૌબ વિસ્તારમાં ક્રેશ થયું હતું જ્યારે તે એક બીમાર સૈનિકને આગળની પોસ્ટ પરથી બહાર કાઢવાના નિયમિત મિશન પર હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ