પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું છે. ત્યારે ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારત સરકાર પાકિસ્તાન દ્વારા ગેરકાયદે અને જબરદસ્તી કબજા હેઠળ ભારતીય ક્ષેત્રના ભાગમાં ભૌતિક પરિવર્તન લાવવાના પ્રયાસને દ્રઠતાથી અસ્વીકાર કરે છે અને પાકિસ્તાન આ ગેરકાયદે કબજાને તાત્કાલિક ખાલી કરે.
ઇમરાન ખાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું
ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો
પાકિસ્તાન આ ગેરકાયદે કબજાને તાત્કાલિક ખાલી કરેઃ ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારત સરકાર પાકિસ્તાનના ગેરકાયદે અને જબરદસ્તી કબજા હેઠળ ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપવાનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, હું ફરીથી કહું છું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનના ગેરકાયદે કબજાની આલોચના કરતા કહ્યું કે, 1947માં જમ્મુ કાશ્મીરના ભારત સંઘમાં કાયદેસર અને પૂર્ણ વિલયના કારણે પાકિસ્તાનને સરકાર જબરદસ્તી કબજો કરેલ વિસ્તાર પર હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી. પાકિસ્તાન તરફથી આ પ્રકારના પ્રયાસથી પાક અધિકૃત વિસ્તારમાં રહેતા લોકો સાથે છેલ્લા 7 દાયકાઓથી માનવાધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છુપાવી નહીં શકાય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આ ભારતીય વિસ્તારોનો દરજ્જો બદલવાના બદલે તાત્કાલિક તમામ કાયદેસર કબજાને ખાલી કરો.
Please see our statement on Pakistan Government’s decision to accord “provisional provincial status” to the so-called “Gilgit-Baltistan” : pic.twitter.com/8XzPT0aSFH
આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે રવિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું. પ્રધાનમંત્રી ઇમરાન ખાદને ગિલગિટમાં એક રેલીને સંબોધિત કરતા પાકિસ્તાન સરકારના નિર્ણયની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, કોઇપણ દેશની સંપ્રભુતા અને એકજુટતાને બનાવવી રાખવા માટે સેનાનું મજબૂત હોવું જરૂરી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની પીએમએ વિપક્ષી મોરચે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના હુમલા બાદ પોતાની સરકારના બચવાને લઇને આ જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનમાં કુલ 11 રાજકીય પક્ષોએ સપ્ટેમ્બરમાં 2020માં લોકતંત્રની પુનઃસ્થાપનાની માંગ સાથે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ નામથી એક મોર્ચાનું ગઠન કર્યું છે અને આ ઇમરાન સરકાર પર સતત હુમલાવર છે.