ભારતમાં કંપનીઓ 2020-21 માટે કર્મચારીના પગારમાં સરેરાશ 7.8% જેટલી વૃદ્ધિ કરી શકે છે જે 2019-20માં કર્મચારીઓને મળેલી 8.2% ની વાસ્તવિક વેતન વધારા કરતા ઓછી છે.
ગયા વર્ષ કરતા આ વર્ષે પગાર વધારો ઓછો હોઈ શકે છે
ભારતમાં કંપનીઓ 2020-21 માટે સરેરાશ 7.8% પગાર વધારો કરી શકે છે
2019-20માં કર્મચારીઓના પગારમાં 8.2% નો વધારો થયો છે
કંપનીઓ પર માર્જીનનું દબાણ અને પ્રતિકૂળ આર્થિક સ્થિતિને કારણે ઓછી વૃદ્ધિ
આ વર્ષે ભારતમાં કર્મચારીઓના પગારમાં 7.8% નો વધારો થઈ શકે છે. ડેલોઈટ ઇન્ડિયાના એક સર્વે અનુસાર ભારતમાં કામ કરતી કંપનીઓ નાણાકીય વર્ષ 2020-21માં તેમના કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.8% વધારો કરી શકે છે. ડેલોઇટ ઇન્ડિયાએ જણાવ્યું છે કે કંપનીઓ પર માર્જીનનું દબાણ અને પ્રતિકૂળ આર્થિક સ્થિતિને કારણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વેતનનો વધારો ઓછો થવાની સંભાવના છે.
ગત વર્ષ કરતા ઓછો હશે વધારો
'વર્કફોર્સ એન્ડ ઇન્ક્રીમેન્ટ ટ્રેન્ડ સર્વે' અહેવાલ પ્રમાણે ભારતમાં કંપનીઓ કર્મચારીઓના સરેરાશ પગારમાં 2020-21 સુધીમાં 7.8% વધારો કરી શકે છે જે 2019-20માં કર્મચારીઓને મળેલ 8.2%ના વાસ્તવિક વેતન વધારા કરતા ઓછો છે.
નિર્ણય કરવામાં જવાબદારીની જરૂરિયાત
ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર આનંદરૂપ ઘોષે જણાવ્યું હતું કે પાછલા વર્ષોથી પગાર વધારાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પગાર નિર્ધારિત કરવાની આ પ્રક્રિયામાં વધુ જવાબદારીની જરૂર છે કારણ કે આ મુદ્દો દેશભરના મેનેજમેન્ટમાં ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે.
50% કંપનીઓ પગારમાં વધારો સ્વીકાર્યો
ઘોષે કહ્યું કે કંપનીઓની પ્રાથમિકતાઓ પાંચ વર્ષ પહેલાની તુલનામાં ઘણી અલગ છે. સર્વે અનુસાર આશરે 50% કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ 2020-21માં પગારમાં 8% કરતા ઓછાનો વધારો કરવાનો ઇરાદો ધરાવે છે અને માત્ર 8% ટકા કંપનીઓએ જ 10% વધુ વેતન વૃદ્ધિ નક્કી કરી છે.