બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / indian clinical psychiatrist understood entire cosmos after anesthesia

પ્રયોગ / ભારતવંશી મનોચિકિત્સકના દાવાની વિશ્વભરમાં ચર્ચા થઈ શરૂ, જાણો એવી તો શું કરી વાત

Premal

Last Updated: 06:16 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ભારતવંશી ક્લિનીક મનોચિકિત્સકે દાવો કર્યો છે કે બેભાનમાંથી સભાન અવસ્થામાં આવતી સમયે તેમણે આખા બ્રહ્માંડને સમજી લીધુ છે. અચંબિત થાય તેવા આવા દાવાની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે વૉરવિક યુનિવર્સિટીમાં પ્રયોગ પણ કરવામાં આવ્યાં.

  • ભારતવંશી ક્લિનીક મનોચિકિત્સકનો દાવો
  • બેહોશમાંથી હોશમાં આવતા આખા બ્રહ્માંડને સમજી લીધુ
  • વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેનો સંબંધ સમજમાં આવ્યો 

એક પ્રોફેસરે આખા બ્રહ્માંડને સમજી લીધુ !

વૉરવિક યુનિવર્સિટીમાં કામ કરતા ભારતવંશી મનોચિકિત્સકનુ નામ છે પ્રોફેસર સ્વરણ સિંહ. તેમણે જણાવ્યું કે કેવીરીતે તેમણે આખા બ્રહ્માંડને પોતાની જ્ઞાનાત્મક રીતે સમજી લીધુ છે. પરંતુ આ એક પ્રયોગ હતો અને તેને સમજવો ખૂબ મુશ્કેલ છે. આ પ્રયોગ જર્નલ ઑફ નર્વસ એન્ડ મેન્ટલ ડિજીસમાં  પ્રકાશિત થયો છે. 

આ મામલો 38 વર્ષ જૂનો છે 

પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે, આ મામલો 38 વર્ષ જૂનો છે.  4 એપ્રિલ, 1984ની વાત છે, જ્યારે તેની સાથે એક માર્ગ દુર્ઘટના થઇ હતી. સર્જરી કરાવવી પડી. જ્યારે તે બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન તેમને આખા બ્રહ્માંડની સમજ આવી ગઇ. તેમને વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેનો સંબંધ સમજમાં આવી ગયો. જો કે, સિંહ આ જણાવે છે કે આ અનુભૂતિને સમજવી ખૂબ મુશ્કેલ હતી. તેથી આટલા વર્ષોથી તે આને સમજાવવાના વધુ ઉદાહરણ શોધી રહ્યાં હતા. હવે તેનો રિપોર્ટ એક સાઇન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયો છે.   

બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ થાય છે

પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે જે તેમની સાથે થયુ છે, તેને વિજ્ઞાનની ભાષામાં નોએસિસ કહે છે. એટલેકે કોઈ પણ વસ્તુને તાર્કિક રીતે સમજવી. નોએસિસ એવા માણસને થાય છે કે જેને કોઈ પણ વસ્તુની પૂરી તાર્કિક જાણકારી અથવા જ્ઞાન હોય. તેમણે જણાવ્યું કે બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ સુધી તેમને દરેક બાબત સારી રીતે સમજમાં આવતી હતી. એવુ લાગી રહ્યું હતુ કે તે બ્રહ્માંડના બધા રહસ્ય સમજવા લાગ્યા છે. આવુ તેમની સાથે પહેલા ક્યારેય થયુ નથી.  

આ બધી ગતિવિધિ કેવીરીતે થઇ તેનાથી હું અજાણ: પ્રોફેસર

પ્રોફેસર સ્વરણ સિંહે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે તેમને  ખબર નથી કે આ બધી ગતિવિધિ તેમને કેવીરીતે ખબર છે? પરંતુ તેમને ખબર છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ સ્પેસ, ટાઇમ, એનર્જી, મેટર અને લાઇફને પૂરી રીતે સમજી ચૂક્યા છે. તેઓ દાવો કરે છે કે જીવન સતત બદલાતુ રહે છે, પરંતુ જીવનને ચલાવવામાં આવતી સતત ઉર્જા એક સમાન રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો જીવનનુ એક રૂપ મોટુ હોય છે તો તે નિશ્ચિત રીતે કોઈ અન્ય નાના જીવનના કારણે બને છે. એક જીવન સમાપ્ત થાય છે તો બીજુ શરૂ થાય છે. પરંતુ ઉર્જા તો એક સમાન જ રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ