જમ્મુ-કશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ સર્જાઇ ગયો છે. હાલનાં સમયમાં સીમા પર તણાવ ભલે જ ઓછો થયો હોય પરંતુ ભારત હજી પણ પાકિસ્તાન પર ભરોસો નથી કરી રહ્યું. ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લેતા હવે પોતાનાં તમામ એર ડિફેન્સ યૂનિટને બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યુ છે.
જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી એક્સરસાઇઝ અંતર્ગત એર ડિફેન્સ સિસ્ટમને બોર્ડરથી નજીક લાવવાની નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય સેનામાં એક મોટી બેઠક બાજ થયો છે. જેમાં સેના પ્રમુખ બિપિન રાવત સહિત મોટા અધિકારી હાજર હતાં.
જમ્મુ-કશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ સર્જાઇ ગયો છે. હાલનાં સમયમાં સીમા પર તણાવ ભલે જ ઓછો થયો હોય પરંતુ ભારત હજી પણ પાકિસ્તાન પર ભરોસો નથી કરી રહ્યું. ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લેતા હવે પોતાનાં તમામ એર ડિફેન્સ યૂનિટને બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યુ છે.
જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી એક્સરસાઇઝ અંતર્ગત એર ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યુ છે. આ નિર્ણય સેનામાં એક મોટી બેઠક બાદ થઇ છે. જેમાં સેના પ્રમુખ બિપિન રાવત સહિત મોટા અધિકારી હાજર હતાં.
આ બેઠકમાં બોર્ડર પર લાગેલ એર ડિફેન્સ યૂનિટનું રિવ્યૂ કરવામાં આવ્યું. બેઠકમાં સામે આવ્યું કે, જો બીજી વાર ભવિષ્યમાં ક્યારેય પણ બાલાકોટ બાદ જેવી સ્થિતિ પેદા થાય છે, તો આનો ઉપયોગ કરી શકાય. હાલમાં આ તમામ યૂનિટ બોર્ડરથી દૂર છે અને દરેક તણાવપૂર્મ જગ્યા પર હાજર છે.
હકીકતમાં બાલાકોટમાં જ્યારે ભારતે એરસ્ટ્રાઇક કરી હતી તો તેનાં પછીનાં જ દિવસે પાકિસ્તાને પોતાનાં અનેક લડાકુ વિમાનોને ભારતમાં મોકલ્યા હતાં. ભારત આવેલ લડાકુ વિમાનોએ સેનાનાં સ્થાનની પાસે કેટલાંક બોમ્બ ફેંક્યા હતાં. જો કે, આનાંથી કોઇ જ નુકસાન ન હોતુ પહોંચ્યું અને ભારતે આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો.