કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે ચીનની કોઈ પણ પ્રકારની ચહલકદમીની સામે ભારતીય સેનાએ ખડેપગે તૈયાર છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગે તેમની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાની સૂચના આપ્યા બાદ ભારતીય ગૃહમંત્રી અમિત શાહે ચીનને વોર્નિંગ આપતા કહ્યું હતું કે ભારતીય સેનાએ કોઈ પણ સ્થિતિનો પ્રતિકાર કરવા તૈયાર છે.
અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે ચીન ભારત પાસેથી એક ઇંચ જમીન પણ નહીં છીનવી શકે. શાહે જણાવ્યું હતું કે દરેક દેશ યુદ્ધ માટે તૈયાર હોય છે. એટલે જ દેશોમાં સેનાને કોઈ પણ પ્રકારની હિલચાલ સામે ખડેપગે રાખવામાં આવે છે. ભારતની સુરક્ષા માટે ભારતીય દળો હંમેશા તૈયાર છે.
જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ તણાવને ઘટાડવા માટે બંને દેશોના ટોચના મિલિટરી અધિકારીઓ બેઠક યોજી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું વિશ્વના દેશો આ સમસ્યામાં ભારતની સરહદ બચાવવા માટે ભારતના પડઘે ઉભા છે.