ચીન બાદ ઈરાનમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે ચીન અને જાપાની જેમ ઈરાનમાંથી પણ આપણા નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવી શકે એમ છે. જેને પગલે વિચારણા ચાલી રહી છે.
ઈરાનમાં 340 જેટલા ગુજરાતીઓ ફસાયા
ચીન બાદ ઈરાનથી પણ ભારતીયોના રેસ્ક્યૂ અંગે વિચાર
ભારત સરકાર ઇરાનમાં ભારતીય રાજૂદૂતો સાથે સંપર્કમાં
ઈરાનમાં કોરોનાને લીધે 26નાં મોત
ચીનમાં 80 હજારથી વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 2500થી વધારે લોકોના મોત નિપજ્યાં છે. કોરોના વાયરસ ચીન સિવાય 29 જેટલા દેશોમાં ફેલાઈ ચુક્યો છે. ત્યારે ઈરાનમાં કોરોના વાયરસના 245 કેસ નોંધાયા છે. જ્યારે 26 લોકોના મોત નિપજ્યાં છે.
ઈરાનથી પણ ભારતીયોને રેસ્ક્યૂ કરવા અંગે વિચાર
ઈરાનની કોરોના વાયરસને લીધે સ્થિતિ વધારે ગંભીર બની છે. જેને પગલે ભારત-ઈરાન વચ્ચેની ફ્લાઇટ રદ થતા અનેક ભારતીયો ફસાયા છે. ઈરાનમાં 340 જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાનો અંદાજ છે. જેથી ચીન બાદ ઈરાનથી પણ ભારતીયોના રેસ્ક્યૂ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
રાજદૂતે કહ્યું અમે ભારતીયોની સુવિધા માટે કામ કરી રહ્યાં છીએ
ભારત સરકાર ઈરાનમાં ભારતીય રાજૂદૂતો સાથે સંપર્કમાં છે. કોરોના વાયરસનો કહેર વધતા રેસ્ક્યબ કરી શકાય એમ છે. તહેરાનના ભારતીય રાજદૂતે કહ્યું હતું કે‘ભારતીયોને ઈરાનથી ભારત મોકલવા વાત ચાલુ છે. અમે ભારતીયોની સુવિધા માટે કામ કરી રહ્યાં છીએ.’