લાંબા સમયથી ચાલી રહેલા ફેલિયર બાદ હવે ફેન્સને બન્ને ખેલાડીઓએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.
ટેસ્ટ બાદ ફેન્સ આ ખેલાડીઓને કરી રહ્યા છે ટ્રોલ
બેટિંગમાં સારૂ પ્રદર્શન નથી કરી રહ્યા આ ખેલાડીઓ
ફેન્સ કરી રહ્યા છે કાઢવાની ડિમાન્ડ
કાનપુર ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિન્ક્યા રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારા એક વખત ફરી બેટિંગમાં ફેલ રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા ફેલિયર બાદ હવે ફેન્સને બન્ને ખેલાડીઓએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.
નબળુ પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ચાલુ કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન અને વાઈસ કેપ્ટન બન્નેએ બેટિંગમાં કંઈ ખાસ સારૂ પ્રદર્શન ન હતું કર્યું. અજિન્ક્યા રહાણે, ચેતેશ્વર પુજારા બન્ને ઈનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યા અને ખરાબ ફોર્મનો જે સિલસિલો લાંબા સમયથી યથાવત છે તે હજુ પણ ચાલી રહ્યો છે. બન્ને હવે એક વખત ફરી ફેલ થઈ ગયા છે. તો ફેન્સે સોશિયલ મીડિયા પર બન્નેને વિદાય આપી દીધી છે.
ફેન્સના નિશાને આવ્યા આ ખેલાડીઓ
અજિન્ક્યા રહાણે અને ચેતેશ્વર પુજારા લાંબા સમયથી ફેન્સના નિશાને રહ્યા છે. કારણ કે બન્ને ખેલાડીઓ લાંબા સયમથી બેટિંગમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી રહ્યા. એવામાં હવે એક વખત ફરી જ્યારે બન્નેએ ફેન્સને નિરાશ કર્યા તો ફેન્સનો ગુસ્સો ફૂટી નિકળ્યો છે.
જો કાનપુર ટેસ્ટની વાત કરવામાં આવે તો પહેલી ઈનિંગમાં અજિન્ક્યા રહાણેએ 35, બીજી ઈનિંગમાં 4 રન બનાવ્યા. જ્યારે ચેતેશ્વર પુજારાએ પહેલી ઈનિંગમાં 26, બીજી ઈનિંગમાં 22 રન બનાવ્યા. બન્નેના આવા જ પરફોર્મેન્સ લાંબા સમયથી ચાલી રહ્યા છે.
ચેતેશ્વર પુજારા અને અજિન્ક્યા રહાણેના ફ્લોપ શો પર ફેન્સનું રિએક્શન કંઈક આવું આવી રહ્યું છે.