ટીમ ઇન્ડિયા બુધવારે 29 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ સીરિઝની ત્રીજી T-20 ઇન્ટરનેશનલ મેચને જીતીને વિદેશની જમીન પર નવો એક ઇતિહાસ લખવા ઇચ્છશે. તમને જણાવી દઇએ કે, સીરિઝના પહેલી T-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યુ હતુ. આ પછી બીજી T-20 મેચમાં પણ 7 વિકેટથી જીતીને ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના વિરુદ્ઘ પાંચ મેચની T-20 સીરિઝમાં 2-0થી આગળ છે
પાંચ મેચોની T-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-0 થી આગળ
હેમિલ્ટનમાં રમઆશે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રીજી T-20 મેચ
. ટીમ ઇન્ડિયા જો ત્રીજી T-20 ઇન્ટરનેશનલ મેચ જીતી લે છે, તો ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચાઇ જશે. આ મેચમાં જીતની સાથે ટીમ ઇન્ડિયા પહેલી વખત ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવિયોના વિરુદ્ઘ દ્ઘિપક્ષીય T-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં જીત મેળવશે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની જમીન પર દ્ઘિપક્ષીય T-20 ઇન્ટરનેશનલ મેચ નથી જીતી શક્યુ. ટીમ ઇન્ડિયાની પાસે ન્યૂઝીલેન્ડની ધરતી પર પહેલી વખત T-20 સીરિઝ જીતવાની તક છે.
ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આ T-20 સીરિઝની પહેલા 2 જ દ્ઘિપક્ષીય T-20 ઇન્ટરનેશલ સીરિઝ રમાઇ છે. આ બંને T-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ હારનો સામનો કરવો પડ્યો હતો. એક દ્ઘિપક્ષીય T-20 ઇન્ટરનેશનલ સીરિઝ 2008-09 માં રમાઇ હતી. 2 મેચની આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને 0-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઇન્ડિયાને 2018-19 માં રમાયેલી T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડે 2-1 થી હરાવી હતી.
ન્યૂઝીલેન્ડની ધરતી પર ટીમ ઇન્ડિયાને 3 T-20 ઇન્ટરનેશનલ મેચમાં જીત મળી હતી. જ્યારે ચાર મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઇન્ડિયાને હરાવ્યુ હતુ.
ત્રીજીT-20 ઇન્ટરનેશનલ મેચ બુધવારે 29 જાન્યુઆરી હેમિલ્ટનના ગ્રાઉન્ડમાં રમાશે. હેમિલ્ટનના આ ગ્રાઉન્ડની પિચથી ટીમ ઇન્ડિયાને સાવધાન રહેવુ પડશે. આ ગ્રાઉન્ડ પર સ્વિંગ બૉલર્સને મદદ મળે છે. જોકે ટીમ ઇન્ડિયાની પાસે એક એવા બૉલર્સ છે જે હેમિલ્ટનના ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને મુશ્કેલીમાં નાખી શકે છે.