નવી દિલ્હી: ઇંગ્લેન્ડની વિરુદ્ધ શરૂાતની બે ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમની નબળાઇ ખુલી ગઇ છે. 3 મેચની સીરિઝમાં 0-2ની માત સાથે જ હવે ભારતીય ટીમ માટે ત્રીજી મેચ અગ્નિપરીક્ષા રહેશે.
હવે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઇના પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની પસંદગી ત્રીજી ટેસ્ટ બાદ કરવામાં આવશે જે શનિવારે નોટિંધમમાં શરૂ થશે. એના પરિણામ બાદ જ બોર્ડ ભવિષ્યની કાર્યવાહી માટે નિર્ણય લેશે.
જો કે બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું કે 'ભારતીય ટીમ આ ફરીયાદ કરી શકે નહીં એને તૈયારી માટે પૂરતો સમય મળ્યો નથી. દક્ષિણ આફ્રીકા શ્રૃંખલા બાદ ખેલાડીઓને વ્યસ્ત કાર્યક્રમ અને અભ્યાસ મેચોના અભાવની ફરીયાદ કરી હતી. એમની સાથે વાત કર્યા બાદ જ અમે નક્કી કર્યું કે સીમિત ઓવરોની શ્રૃંખલાઓ ટેસ્ટથી પહેલા રમવામાં આવશે.'
એમને કહ્યું 'સીનિયર ટીમના કહેવા પર જ અમે ભારત 'એ' ટીમને એ સમયે પ્રવાસે મોકલી બે સીનિયર ખેલાડી અજિંક્ય રહાણે અને મુરલી વિજય એ પ્રવાસે સાથે ગયા. જે એ લોકોને ઇચ્છા હતી અમે બધું કર્યું. હવે પરિણામ મળી રહ્યા નથી તો બોર્ડને પ્રશ્નો કરવાનો પૂરો હક છે.'
ભારત સીરિઝ હારવા પર શાસ્ત્રી અને કોહલીના અધિકારીઓમાં કાપ થઇ શકે છે. અધિકારીએ કહ્યું 'શાસ્ત્રી અને હાલના સહયોગી સ્ટાફ ઓસ્ટ્રેલિયામાં (2014-15cex 0-2) દક્ષિણ આફ્રીકા (2017-18માં 1-2)માં સીરિઝ ગુમાવી ચુકી છે અને હવે અમે ઇંગ્લેન્ડમાં ખરાબ સ્થિતિમાં છે.'
બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું કે બેટ્સમેન કોચ સંજય બાંગડ અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધરના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.