શ્રીલંકા હાલના સમયમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે ભારત પાડોશી દેશ શ્રીલંકાની મોટી મદદ કરવાનો નિર્ણય લીધો છે.
શ્રીલંકામાં ભયંકર સ્થિતિ
પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરિયાત માટે ફાફાં
ભારત કરશે મોટી મદદ
શ્રીલંકા હાલના સમયમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે સમાચાર આવી રહ્યા છે કે, શ્રીલંકા ગંભીર આર્થિક સંકટના નિવારણ માટે વિશ્વ બૈંક પાસેથી મદદ માગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકા આગામી મહિને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની બચાવ યોજના પર પણ ચર્ચા કરશે. તો વળી શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેએ પોતાના દેશને આર્થિક વિકાસ તથા મદદ ઋણ સુવિધા આપવા માટે ભારતીય પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માન્યો હતો.
શ્રીલંકામાં ભયંકર સ્થિતિ
જાન્યુઆરી 2020થી વિદેશ મુદ્રા ભંડારમાં 70 ટકાના ઘટાડાના કારણે શ્રીલંકામાં ભોજન અને ઈંધણ સહિત જરૂરી આયાત માટે ચૂકવણી માટે આર્થિક સંકટ ઉભું થઈ ગયું છે. તેના કારણે દેશમાં અશાંતિનો માહોલ ઉભો થયો છે. પેટ્રોલ પંપ પર સૈન્ય તૈનાતી પણ કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરી સુધી 2.31 અબજ ડોલરના મામૂલી ભંડાર રાખનારા શ્રીલંકાને આ વર્ષે ભાગીના ભાગમાં લગભગ ચાર અબજ ડોલરનું દેવું ચુકવવાનું છે.
વિશ્વ બેંક સામે મદદ માગશે
આ સંકટમાંથી બહાર નિકળવા માટે નાણામંત્રી બેસિલ રાજપક્ષે આગામી મહિને વોશિંગ્ટનમાં આઈએમએફ અને વિશ્વ બેંકના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. ભારતે પણ શ્રીલંકાના નાણકીય મદદ કરી છે. આર્થિક સંકટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી મદદ માટે શ્રીલંકાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
40,000 ટન ડીઝલ આપશે ભારત
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે ભારતે શ્રીલંકાની મોટી મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે કહ્યું છે કે તે શ્રીલંકાને 40,000 ટન ડીઝલ આપશે. આ નિર્ણય શ્રીલંકાની વિનંતી પર લેવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ઈંડિયન ઓયલ કોર્પોરેશન ટૂંક સમયમાંજ શ્રીલંકાને 40,000 ટન ડીઝલ પહોંચાડશે. આ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણના સાત માસિક શિપમેંટના છે. ભારત શ્રીલંકાની 500 મીલિયન ડોલરની ઋણ વ્યવસ્થાને વધારી રહ્યું છે.