ભારતીય વાયુસેનાની શક્તિમાં ફરી એક વાર વધારો થવા જઈ રહ્યો છે. હવે ભારતીય વાયુસેનાનું બ્રહ્મોસ વિમાન સરહદ ક્રોસ કર્યા વગર જ સીમા પાર બાલાકોટ જેવો હુમલો કરવા માટે સક્ષમ બનશે.
ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા આગામી અઠવાડિયે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું હવામાં લોન્ચ કરનારા વર્ઝનનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મિસાઈલનું સફળ પરીક્ષણ થયાં બાદ ભારત બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો હુમલો દેશમાં બનેલા હથિયારોની મદદથી કરવામાં સક્ષમ બનશે.
પાકિસ્તાનનાં બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ 2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને તેનાં માટે મિરઝ ફાઈટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાયુસેનાના સૂત્રોનાં જણાવ્યાં મુજબ, 290 કિલોમીટર દૂર આવેલા ટાર્ગેટનો ખાતમો બોલાવવામાં પણ સક્ષમ હશે. એટલું જ નહીં જમીન પરનાં ટાર્ગેટને પણ સરળતાથી ધ્વસ્ત કરી શકાશે. એરફોર્સની યોજના છે કે 40 સુખોઈ 30 MKI લડાકૂ વિમાનમાં બ્રહ્મોસ વિમાન ફીટ કરવામાં આવે. જેથી જરૂર પડે દૂરનાં ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય.
તમને જણાવી દઇએ કે વાયુસેનાએ 26 ફેબ્રુઆરીનાં રોજ પાકિસ્તાનની સીમામાં ખૂબ જ અંદર સુધી ઘૂસીને બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનાં પ્રશિક્ષણ શિબિર પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં વાયુસેનાએ મિરાજ-2000 લડાકુ વિમાનથી સ્પાઇસ-2000 બોમ્બોનો ઉપયોગ મદરેસામાં ચાલી રહેલ શિબિરને ધ્વસ્ત કરવા માટે કરવામાં આવ્યો હતો.