દેશમાં ટૂંક સમયમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટે નીતિ તૈયાર કરી શકે છે. આ મુદ્દે વાતચીતને લઈને આવતા અઠવાડિયે એક મોટી બેઠક યોજાવાની છે.
વેક્સિનના ત્રીજા ડોઝની નીતિ માટે આગામી દિવસોમાં મોટી બેઠક યોજાશે
આ ડોઝ એ લોકોને આપશે જેમની ઈમ્યુનિટી ઓછી હોય
ગત ઓક્ટોબરમાં WHOની એક પેનલે બૂસ્ટર ડોઝ ભલામણ કરી હતી
વેક્સિનના ત્રીજા ડોઝની નીતિ માટે આગામી દિવસોમાં મોટી બેઠક યોજાશે
ભારત ટૂંક સમયમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટે નીતિ તૈયાર કરી શકે છે. આ મુદ્દે વાતચીતને લઈને આવતા અઠવાડિયે એક મોટી બેઠક યોજાવાની છે. આ મામલાની જાણકારી એક ટોચના અધિકારીએ આપી છે. હકીકતમાં, દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝને લઈને એક એક્સપર્ટ ગ્રૂપ નીતિ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. ત્રીજા વેક્સિન ડોઝની માત્રા શરૂઆતમાં બૂસ્ટર ડોઝને બદલે વધારાના ડોઝ તરીકે કરવામાં આવશે.
આ ડોઝ એ લોકોને આપશે જેમની ઈમ્યુનિટી ઓછી હોય
સૂત્રોના જણાવ્યા અનુસાર વધારાનો ડોઝ એ લોકોને આપવામાં આવશે જે લોકોની ઈમ્યુનિટી ઓછી હોય છે. જ્યારે બૂસ્ટર ડોઝ સ્વસ્થ લોકોને બીજા ડોઝના થોડાક મહિના બાદ આપવામાં આવે છે. જે લોકોમાં કોઈ પણ બીમારીના કારણે ઈમ્યુનિટી ઓછી છે તે સામાન્ય બે ડોઝ કાર્યક્રમના માધ્યમથી સંપૂર્ણ સુરક્ષિત નથી. એટલા માટે આવા લોકોને વધારાનો ડોઝ આપવાની તૈયારી છે.સ્વસ્થ લોકો માટે બૂસ્ટર ડોઝની શરૂઆત બાદમાં થઈ શકે છે.
ગત ઓક્ટોબરમાં WHOની એક પેનલે બૂસ્ટર ડોઝ ભલામણ કરી હતી
ગત ઓક્ટોબર મહિનામાં ડબ્લ્યુએચઓની એક પેનલે ઓછી ઈમ્યુનિટીવાળા લોકો માટે વધારાના ડોઝની ભલામણ કરી હતી. તંદુરસ્ત લોકો માટે બૂસ્ટર ડોઝ પછીથી શરૂ કરી શકાય છે. ગયા ઓક્ટોબરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એક પેનલે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે વધારાના ડોઝની ભલામણ કરી હતી.
દેશમાં અત્યાર સુધીમાં 115 કરોડથી વધારે વેક્સિનના ડોઝ લાગી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલીવાર બે ડોઝ લેનારની સંખ્યા સિંગલ ડોઝ લગાવનાર કરતા વધારે થઈ છે. આ સમયે દેશમાં 38 કરોડ લોકોના ફુલ વેક્સિનેશન એટલે કે બે ડોઝ લેનારા 37.5 કરોડ લોકો એવા છે. તો દેશમાં અત્યાર સુધીમાં 115 કરોડથી વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લાગી ચૂક્યા છે.