દેશના એક મોટા સ્વાસ્થ્ય વિશેષજ્ઞએ શંકા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના વાયરસનું સૌથી મુખ્ય કેન્દ્ર બની શકે છે. એટલે કે ચીન, ઈટલી, ઈરાન બાદ ભારતમાં આ ચેપ બહું જલ્દી ફેલાઈ શકે છે. કેમ કે ભારતમાં જે તૈયારીઓ છે તે બાકીના એશિયાના દેશોની સરખામણીએ અપુરતા છે.
ડૉ. ટી. જૈકબ જૉને કહ્યું કે સરકારના પ્રયાસો અપૂર્તા
ઈન્ડિયન કાઉન્સેલિંગ ફોર મેડિકલ રિસર્ચ સેન્ટર(ICMR)ના ડૉક્ટર ટી જૈકબ જૉનએ શંકા વ્યક્ત કરી છે. તેઓ એડવાન્સ રિસર્ચ ઈન વાયરોલોજી સેન્ટરના પૂર્વ ચીફ રહી ચૂક્યા છે. ડૉ. ટી જૈકબ જોને કહ્યું છે કે ભારતનું વાતાવરણ અને વસ્તીની સંખ્યા આ વાયરસને ફેલાવવા માટે પુરતા છે. કેમ કે લોકો સારવાર તથા ક્વારંટીનથી બચી રહ્યા છે.
ડૉ. ટી. જૈકબ જૉન ભારત સરકારના પોલીયો મુક્ત અભિયાનના સલાહકાર સમિતિમાં હતા. સાથે સાથે તે વેલ્લોર સ્થિત ક્રિશ્યિન મેડિકલ કોલેજ ખાતેને નેશનલ એચઆઈવી(એડ્સ) રિફરેન્સ સેન્ટરના ચીફ રહી ચૂક્યા છે. ડો. જૈક્બાએ કહ્યું હતુ કે દર અઠવાડિયે આ એક મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યું છે.
ડો. ટી જૈકબ જૉને કહ્યું કે ભારતના લગભગ દરેક શહેરના એક વિસ્તારમાં એવો બહોય છે જેમના ઘરોની વચ્ચે અંતર ખૂબ ઓછુ હોય છે. આ પરિસ્થિતિમાં કોરોના ફેલાવાની શક્યતા વધારે હોય છે.
ડૉ. જૈકબ જૉને ચેતવણી આપતા કહ્યું છે કે હજું સુધી કોરોનાની દર્દીની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. પરંતુ 15 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10થી 15 ગઈ વધી જશે. કેમ કે દેશમાં કોરોનાને રોકવા લેવાઈ રહેલા પગલા પુરતા નથી.