દુનિયામાં કોરોનાના કારણે અત્યારે પ્રતિદિન એક લાખ લોકોમાંથી 6.4 લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. જ્યારે ભારતમાં એક લાખની વસતી સામે માત્ર એક જ વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. જે સમગ્ર વિશ્વની સરખામણીમાં મૃત્યુદર ઓછો છે.
દુનિયામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
વિશ્વની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઓછો
WHOએ રિપોર્ટમાં કર્યો ખુલાસો
કેન્દ્રીય આરોગ્ય વિભાગે જણાવ્યું કે 22 જૂને WHOના રિપોર્ટમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાયરસના કારણે પ્રતિ એક લાખ વ્યક્તિએ મૃત્યુદર 63.13 છે. તો સ્પેનમાં 60.60, ઇટલીમાં 57.19, અમેરિકામાં 36.30, જર્મનીમાં 27.32, બ્રાઝિલમાં 23.68 અને રશિયામાં 5.62 છે.
સાજા થનાર વ્યક્તિની સંખ્યામાં પણ વધારો
વધુમાં આરોગ્ય વિભાગે જણાવ્યું કે કોરોનાને મ્હાત આપી સાજા થનાર વ્યક્તિની સંખ્યામાં પણ વધારો થયો છે. રિવકરી રેટમાં સુધારો થયો છે. અત્યારે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 56.38 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિત બે લાખ 48 હજાર 189 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે.
અત્યાર સુધીમાં દેશમાં 14011 લોકોના થયાં મોત
ભારતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 14 હજાર 11 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 40 હજાર 215 પર પહોંચ્યો છે. હવે દેશમાં માત્ર એક લાખ 78 હજાર દર્દીઓ જ એક્ટિવ છે.