ભારતે અમેરિકાના ઉત્પાદન પર એડિશનલ કસ્ટમ ડ્યૂટી લગાડવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં ભારતે 29 ઉત્પાદનોને સમાવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે અમેરિકાના 29 ઉત્પાદનો પણ એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો હતો, જેમાં બદામ, અખરોટ તથા કઠોળનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તમામ ઉત્પાદનો પર આગામી 16 જૂનથી એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાગશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ સમયગાળો વધાર્યા બાદ 29 અમેરિકી ઉત્પાદનો પર વધારાનો બોર્ડર ચાર્જ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી 16 જૂનથી જ આ નિયમ લાગુ પાડવામાં આવશે. આ સૂચના નાણામંત્રાલય દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
તો આ તરફ 29 વસ્તુઓ પર ભાવ વધતા અમેરિકન નિકાસકારોને નુકસાન થશે કારણ કે, હવેથી તેમણે વધાર ખર્ચ કરવો પડશે. આ તરફ ભારતને લગભગ 217 મિલિયન અમેરિકન ડોલરનો નફો થશે.
આપને જણાવી દઇએ કે, અમેરિકાએ ગત વર્ષે માર્ચમાં સ્ટીલ પર 25 ટકા જેટલો એલ્યુમિનિયમ ઉત્પાદકો પર 10 ટકા આયાતી શુલ્ક લગાડ્યો હતો. અમેરિકાના આ નિર્ણયથી ભારતના અર્થતંત્ર પર મોટી અસર પડી હતી જેના જવાબરૂપે ભારતે 29 ચીજ વસ્તુઓ પર એડિશનલ ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે.