આઈએનએસ તલવાર 40 મેટ્રિક ટન લિક્વીડ ઓક્સિજન લઈને મુંબઈ આવી રહ્યું છે
ઓપરેશન સમુદ્ર સેતુ-2 હેઠળ બહેરીનના મનામા ખાતેથી 40 મેટ્રિક ટન લિક્વીડ ઓક્સિજન લઈને આઈએનએસ તલવાર મુંબઈ આવી રહ્યું છે તો ડિસ્ટ્રોયર તરીકે ઓળખાતા આઈએનએસ કોલકાતા નામનું વિશાળ ભારતીય જહાજ મેડિકલ સપ્લાય લેવા કતારના દોહામાં પહોંચ્યું છે.
આઈએનએસ કોલકાતા કુવેતમાંથી ઓક્સિજન ટેન્કર લાવશે.
નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું કે આઈએનએસ કોલકાતા દોહાથી કુવેત તરફ જશે અને ત્યાંથી ઓક્સિજન ટેન્કર લાવશે. આઈએનએસ કોચી, આઈએનએસ ત્રિકંદ તથા આઈએનએસ તબારને પણ હિંદ મહાસાગરમાં તહેનાત કરાયા છે. આ જ રીતે આઈએનએસ ઐરાવત અને આઈએનએશ જલશવા પણ હિંદ મહાસાગરને પણ તહેનાત કરી રાખવામાં આવ્યાં છે.
ઈન્ડીયન એરફોર્સના વિમાનો મિશન ઓક્સિજનમાં જોડાયા
ઈન્ડીયન એરફોર્સના હેવી લિફ્ટ એરક્રાફ્ટ સી-17 ગ્લોબોમાસ્ટર-3 અને આીએલ-76 પણ દેશ-વિદેશમાંથી ખાલી કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટ કરી રહ્યાં છે. આ વિમાનોએ દેશમાં અત્યાર સુધી 158 ખેપ મારી છે, 2271 મેટ્રિક ટન ક્ષમતાના 109 કન્ટેનર્સને એરલિફ્ટ કર્યાં છે. 830 મેટ્રિક ટન ક્ષમતાના 47 કન્ટેનર્સના ટ્રાન્સપોર્ટ માટે આ વિમાનોએ 28 ખેપ કરી છે.
4 લાખ 1 હજાર 911 નવા દર્દી સામે આવ્યા
ભારતમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે પહેલીવાર દેશમાં એક દિવસમાં નોંધાનારા આંકડા 4 લાખને પાર થઈ ગયા છે. આજે 4 લાખ 1 હજાર 911 નવા દર્દી સામે આવ્યા છે. એક દિવસમાં 3521 લોકોના જીવ ગયા છ. સારી વાત એ છે કે એક દિવસમાં કોરોનાથી 2 લાખ 98 હજાર 951 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા1 કરોડ 91 લાખ 57 હજાર 94 થઈ છે. ત્યારે સાજા થનારાનો કુલ આંક 1.56 કરોડ થયો છે. અત્યાર સુધીમાં કુલ 2.11 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 32.64 લાખ છે.
ટોપ સંક્રમિત દેશો કરતા પણ વધારે કેસ આ રાજ્યોમાં નોંધાયા
દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અહીં 66169 કેસ નોંધાયા છે. એટલે કે ભારત અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર મહારાષ્ટ્રને મુકી શકાય તેટલા કેસ છે. આ બાદ કેરળમાં 38, 607 લોકો સંક્રમિત મળ્યા છે. એજ રીતે કર્ણાટકમાં 35,024 , ઉત્તર પ્રદેશમાં 35,104 કેસ મળ્યા. દેશભમાં સંક્રમણની સ્પીડીની વાત કરીએ તો ગત 10 દિવસમાં કોરોનાના દર્દીના આંકડા રોજના 3 લાખથી 4 લાખને પાર થયા છે. આ પહેલા 21 એપ્રિલથી રોજના 3 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. 21 એપ્રિલે જ્યાં 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારે 22 ના રોજ 3.32 લાખ, 23ના રોજ 3.45 લાખ, 24ના રોજ 3.48 લાખ, 25 ના રોજ 3.54 લાખ, 26ના રોજ 3.19 લાખ. 27ના રોજ 3.62 લાખ, 28ના રોજ 3.79 લાખ, 29 ના રોજ 3.86 લાખ અને 30 એપ્રિલે 4.01 લાખ નવા દર્દી મળ્યા છે.