કોરોના વાયરસના કેસોએ ફરી દેશના સરકારની ઊંઘ ઉડાવી છે. તો બીજી તરફ દેશવાસીઓમાં પણ ચીંતા ઉપજી રહી છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ભારતમાં ફરી સતત વકરતો જતો કોરોના વાયરસ
છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા ભારતમાં
કોરોનાના 68,020 નવા કેસ નોંધાયા
ભારતમાં 22 માર્ચથી 28 માર્ચ સુધી એક સપ્તાહમાં જેટલા કેસ આવ્યા છે તે આ પહેલાના સાત દિવસ કરતાં 1.3 લાખ વધારે છે. સાત જ દિવસમાં કોરોના વાયરસના કેસમાં આટલો ઉછાળો ક્યારેય જોવા મળ્યો નથી. આટલું જ નહીં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ 51 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.
હાલમાં કોરોનાનાં કુલ 12 કરોડ 77 લાખ 63 હજાર 220 નવા કેસ નોંધાયા છે જ્યારે 27 લાખ 95 હજાર 878 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1 કરોડ 20 લાખ 39 હજાર 644 પર પહોંચી ગઈ છે.
સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા
ફરી એકવાર કોરોનાવાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના નવા કેસના મામલે ભારત ફરી એકવાર પ્રથમ નંબરે પહોંચી ગયું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,020 કેસ નોંધાયા છે જ્યારે 291 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, જો તમે વિશ્વભરના કોરોનાના આંકડા પર નજર નાંખો તો છેલ્લા એક દિવસમાં 4 લાખ 86 હજાર, કોરોનાના 724 નવા કેસ નોંધાયા છે. આમ, સમગ્ર વિશ્વમાં એક દિવસના કેસો સૌથી વધુ ભારતમાં આજે નોંધાતા બીજી લહેરના ભરડામાં દેશ આવ્યો છે તેમ કહી શકાય.
બ્રાઝિલ ભારત પછી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 44, 326 નવા કેસ નોંધાયા છે જ્યારે બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1,25,34,688 છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 3 લાખ 12 હજાર 299 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલ પછી અમેરિકા ત્રીજા નંબરે છે. ગયા વર્ષે કોરોનામાં સૌથી વધુ કેસ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. યુ.એસ. માં અત્યાર સુધીમાં 3,09,62,803 નવા કેસ નોંધાયા છે, જ્યારે 5 લાખ 62 હજાર 526 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં કોરીનાના 44 હજાર 96 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રના હાલ બેહાલ
મહારાષ્ટ્રમાં રવિવારે 40, 414 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે ત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 27,13,875 થઈ ગઈ છે. રાજ્યમાં એક દિવસમાં 108 લોકોના મોત બાદ મોતનો કુલ આંક 54,181 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં એક દિવસમાં 6,933 કોરોના કેસ સામે આવ્યા છે અને આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા. જોકે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 17,874 લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે.
લોકડાઉનની તૈયારી કરવાના આદેશ
નોંધનીય છે કે કોરોના વાયરસ સંક્રમણને જોતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મહત્વના આદેશ આપ્યા હતા. ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન જેવા પ્રતિબંધોનો રોડ મેપ તૈયાર કરી દેવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ એવા લોકડાઉન કરવા કહ્યું છે કે જેનાથી અર્થતંત્ર ઓછું પ્રભાવિત થાય.
ગુજરાતમાં રોજબરોજ કોરોના તોડી રહ્યો છે રેકોર્ડ
ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ બેકાબૂ થયો છે. રોજ બરોજ કેસની સંખ્યા ખુબ વધી રહી છે. રાજ્યમાં 2,270 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1605 દર્દીઓ સાજા થયા છે.જયારે કુલ 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 11,528 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં 8 દર્દીના મૃત્યુ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4492 લોકોના મૃત્યુ થયા છે. અને રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કોરોના કેસનો 2270નો આંકડો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો છે.