સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના સમ્માનમાં એક શાંતિ સંમેલન યોજાયું હતું. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મંડેલાના સમ્માનમાં કહ્યું કે નેલ્સન મંડેલાનું જીવન પ્રેરણાદાયી છે. તેઓએ ભેદભાવ અને આપત્તિના મુદ્દે નીડરતા અને સાહસ બતાવ્યું.
Nelson Mandela's life is an inspiration. He showed fearlessness&courage in face of discrimination&adversity. Values espoused by him-forgiveness compassion&inclusiveness of society are needed now more than ever in these turbulent times: EAM at Nelson Mandela Peace Summit at #UNGApic.twitter.com/cEmUjyD2p3
વધુમાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે મંડેલાને યાદ કરતા કહ્યું કે તેમણે સમાજને સમાજને ક્ષમા કરૂણા અને સમાજની સમાવેશતા જેવા મૂલ્યો આપ્યા. આજના અશાંત સમયમાં તેમના મૂલ્યોની વધારે જરૂર છે. તેઓએ આગળ વાત કરતા કહ્યું કે અમારી દુનિયા હજુ પણ સંઘર્ષ આતંકવાદ અને ધૃણાસ્પદ વિચારધારાઓથી ઘેરાયેલી છે.
External Affairs Minister Sushma Swaraj said India considers Nelson Mandela fondly known as Madiba as one of its own
જે સીમાઓથી પણ આગળ વધીને અમારા જીવનને પ્રભાવિત કરી રહી છે. આતંકવાદ કે તેના દ્વારા ઉપદ્રવ મચાવનારાઓને ક્યારેય પ્રેરણા આપવી જોઈએ નહીં. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે કહ્યું કે મંડેલાએ સંયુક્ત રાષ્ટ્રના ઊંચા મૂલ્યો શાંતિ માફી દયા અને માનવીય ગરીમાને સાકાર કર્યું છે.