ઉત્તર-પૂર્વ અને લદ્દાખની સરહદ પર ભારત સાથે તણાવને ઉત્તેજિત કરવાનો વારંવાર પ્રયાસ કરતું ચીન વધુ સારા સંબંધોની વાત કરે છે. આ મામલે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કહ્યું કે ભારતીય સૈન્ય સાથેના તેમના સંબંધો સુધરે છે.
મોદી-શી જિનપીંગના પ્રયાસોથી ચીન-ભારતના સૈન્ય સંબંધો વધુ સારા થઈ રહ્યા છે : PLA
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ બંને દેશના નેતાઓનો માન્યો આભાર
બંને દેશો વચ્ચે વધી રહ્યો છે લશ્કરી સહયોગ : PLA
પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ કહ્યું કે આવું વ્યૂહાત્મક ક્રિયા, પ્રતિક્રિયા અને વ્યવહારિક સહયોગને કારણે થયું છે. PLA આ માટે PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આભાર માન્યો છે.
ચીનના સૈન્યના પ્રવક્તા કર્નલ વુ કિઆને કહ્યું કે, ભારત અને ચીને સંયુક્ત સૈન્ય અભ્યાસ પૂર્ણ કર્યો અને બન્ને દેશને ક્ષેત્રીય સુરક્ષા અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ કરવાને લઇને પ્રતિબદ્ધતા દેખાડી. ચીની સેનાનું નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે જ્યારે 2017માં ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે ખુબ તણાવ વધ્યો હતો. આ સિવાય ચીન કેટલાક સમયે ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનો સાથ આપતુ દેખાઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધોમાં લશ્કરી સંબંધો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ માટે બંને દેશોના નેતાઓનો આભાર. આ ઉપરાંત તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ વધી રહ્યો છે, વ્યૂહાત્મક વાટાઘાટો સારી થઈ રહી છે અને વ્યવહારિક સહયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં વુહાનમાં અને આ વર્ષે ચેન્નાઇમાં બંને દેશોના પ્રમુખો વચ્ચે અનૌપચારિક સમિટ થઈ હતી. 2017માં ડોકલામમાં ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થયા બાદ આ મિટીંગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.