ભારત-ચીનની બોર્ડર પર સોમવારે રાત્રે બંને સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયા છે ત્યારે દેશમાં ચીન પ્રત્યે સુરતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચીનના લોકોએ પણ ચીન પ્રત્યે રોષ વ્યક્ત કરતા શહાદતનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે. લોકો ચીનને પાઠ ભણાવવા માટે તેમની વસ્તુનો સંપુર્ણ રીતે બહિષ્કાર કરવા પણ અનુરોધ કર્યો છે.
સુરત, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રોષ
ચાઈનીઝ વસ્તુઓ બહિષ્કારનો સંકલ્પ
લોકોમાં ચીન પ્રત્યે વધ્યો રોષ
દેશભરમાં ચીન સામે આક્રોશ છે. ત્યારે અમદાવાદના યુવાનોમાં પણ રોષ છે. અને યુવાનો કહી રહ્યાં છે કે એક માથાની સામે 10 માથા લઇ આવો. હવે 56 ઇંચની છાતી દેખાડવાનો સમય આવી ગયો છે. ચીનને તેની ભાષામાં જવાબ આપવા યુવાનોએ માગ કરી છે.
સુરતમાં વિરોધ
સુરતના કામરેજની ભવાની એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી શાળાનું સત્ર શરૂ નહીં થાય ત્યાં સુધીની ફી માફ કરવાની જાહેરાત કરાઇ છે. કોરોનાના કારણે શાળાં બંધ છે ત્યારે શાળા શરૂ ન થાય ત્યાં સુધીના મહિનાની ફી માફી કરતા સુરતના કિરિટ માકડિયા દ્રારા રજૂઆત કરાઇ હતી પરંતુ કોઇ પ્રતિસાદ ન મળતાં આખરે તે ધરણા પર ઉતર્યાં હતા જો કે હવે 13 દિવસથી ધરણા બાદ કામરેજની એજ્યુકેશન ટ્રસ્ટ સામે આવ્યું છે અને શાળા શરૂ ન થાય ત્યાં સુધીની ફી માફી કરી છે.
રાજકોટમાં લોકો કરી રહ્યા છે ચીનનો વિરોધ
ભારતના લોકોમાં ચીન પ્રત્યે રોષ વધી રહ્યો છે. ચીન પ્રત્યે રાજકોટવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં યુવાનોએ ચીનનો વિરોધ કર્યો છે. અને ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવા માંગ કરવામાં આવી છે. યુવાનોએ કહ્યું કે સરકારે ચીનને જડબાતોડ જવાબ આપવો જોઇએ.
સુરેન્દ્ર નગરમાં પણ જોવા મળ્યો વિરોધ
લીંબડીમાં યુવાનો દ્વારા ચીનનો વિરોધ કરવામાં આવ્યા છે. હિંસક ઘર્ષણ બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. ચીન મુર્દાબાદના નારા લાગ્યા. 20 જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. લીંબડી ગ્રીનચોક ખાતે યુવાનો દ્વારા ચીનનો ધ્વજ સળગાવી વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ હિંસક અથડામણ મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે.
ચાઈના મુર્દાબાદના નારાઓ પણ લગાવી બહિષ્કાર કર્યો છે. અંદાજે 20 જેટલા દેશના જવાનોના મૌત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.