ચીન સામે ભારત કડક આર્થિક નિર્ણય લઇ શકે છે. ચીનના પ્રોજેક્ટને લઇને કડક કાર્યવાહી થશે. ભારત એવા પ્રોજેક્ટને રદ્દ કરી શકે છે, જેમાં ચીનની કંપનીઓએ સમજૂતિ પ્રાપ્ત કરી છે. જેમાં મેરઠ રેપિડ રેલનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જે ચીનની કંપનીએ બીડ મેળવી છે.
ભારતમાં ચાલી રહેલા બધા ચીનના પ્રોજેક્ટની કરાઇ રહી છે સમીક્ષા
1126 કરોડના RRTS પ્રોજેક્ટને કરી શકે છે રદ્દ
એક મળતી માહિતી મુજબ ચીન સરહદ પર વિવાદ બાદ ભારત સરકારે એ પ્રોજેક્ટની સમીક્ષા શરૂ કરી દીધી છે, જે ચીનની કંપનીઓને આપવામાં આવી છે. જેમાં દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટ પણ છે. સરકાર તરફથી બીડ કેન્સિલ કરવા માટે બધા કાયદાકીય પહેલુઓને જોવામાં આવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બીડને સરકાર રદ્દ કરી શકે છે.
શું છે દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટ
દિલ્હી-મેરઠની વચ્ચે સેમી હાઇ સ્પીડ રેલ કોરિડોર બનવાનો છે. આ પ્રોજેક્ટથી દિલ્હી, ગાઝિયાબાદ થઇને મેરઠ સાથે જોડાશે. 82.15 કિલોમીટર લાંબા RRTS માં 68.03 કિલોમીટર ભાગ એલિવેટેડ અને 14.12 કિલોમીટર અંડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટથી મુખ્ય રીતે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જવા વાળાઓને ખાસ ફાયદો થશે.
કેમ મચી છે બબાબલ
દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ સ્ટેચ બનાવવા માટે સૌથી ઓછી રકમની બોલી એક ચીનની કંપની શંઘાઇ ટનલ એન્જિનયરિંગ કંપની લિમિટેડ (STEC) લગાવી છે. STEC એ 1126 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ચીનની કંપનીને સ્ટ્રેચનું કામ આપવાને લઇને વિપક્ષ સહિત સ્વદેશી જાગરણ મંચ વિરોધ કરી રહી છે.
પાંચ કંપનીઓએ લગાવી હતી બોલી
દિલ્હી-મેરઠ RRTS કૉરિડોરમાં ન્યૂ અશોક નગરથી સાહિબાબાદની વચ્ચે 5.6 કિમી સુધી અંડરગ્રાઉન્ડ સેકશનનું નિર્માણ થવાનું છે. આ માટે પાંચ કંપનીઓએ બોલી લગાવી હતી. ચીનની કંપની STEC એ સૌથી ઓછી 1,126 કરોડ રૂપિયાની બોલી લગાવેલી. ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ 1,170 કરોડ રૂપિયાની બોલી લગાવેલી.
જવાનોની શહાદત દેશ નહીં ભૂલે : રાજનાથ સિંહ
ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે.
રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.
રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
વિપક્ષનો મોદી સરકારને સવાલ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.
સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ
LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.
ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.