ભારતે અમેરિકી વિદેશ વિભાગ તરફથી આવેલ એક રિપોર્ટને ફગાવ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં હિન્દુ કટ્ટરપંથી સમૂહોઓએ લઘુમતિઓ પર હુમલા કર્યા છે. આ રિપોર્ટ પર જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે ભારતને વિદેશી રિપોર્ટમાં કોઇ સત્ય દેખાતું નથી. જે અમારા નાગરિકો જેમના અધિકાર સંવૈધાનિક રૂપે સંરક્ષિત છે તેના પર દાવો કરી રહી છે.
આપને જણાવીએ કે, આ રિપોર્ટ અમેરિકી વિદેશ વિભાગ તરફથી 'ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ' પર એક રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં આરોપ લગાવાયો છે કે ભારતમાં ગૌરક્ષાના નામે હિંસા કરનારા વિરુદ્ધ તંત્ર મોટાભાગના મામલામાં અભિયોગ લગાવી શકી નથી.
આ રિપોર્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જવાબ આપતા કહ્યું છે કે, ભારતને પોતાની ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી અને બહુલતાવાદી સમાજ વાળો દેશ છે જે લાંબા સમયથી સહિષ્ણુતા અને સમાવેશ માટે પ્રતિબદ્ધ છે. ભારતનું સંવિધાન તમામ નાગરિકોને તેમા મૂળભૂત અધિકારોની ગેરન્ટી આપે છે. જેમા લઘુમતી પણ સામેલ છે.
આપને જણાવીએ કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટને નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપાના પ્રતિ 'પૂર્વાગ્રહથી પ્રેરિત' અને 'ખોટો' બતાવ્ચો છે. અને કહ્યું છે કે ભારતની લોકશાહી સંસ્થાઓના મૂળીયા ખુબ જ ઉંડા છે.
ભાજપની મીડિયા સેલના વડા અનિલ બલૂનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ મોદી સરકાર અને ભાજપના પ્રતિ પૂર્વાગ્રહથી પ્રેરિત છે'. 'આ રિપોર્ટની મૂળ અવધારણા કે અહીં લઘુમતિઓ સાથે હિંસા પાછળ કોઇ ષડયંત્ર છે, તદ્દન ખોટી છે.'