છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલયે ચીનની બાજુની હરકતોને લઇને પોતાનો પક્ષ મૂક્યો છે. મંત્રાલયે કહ્યું છે કે ભારત વાતચીતથી વિવાદ અંગે સમાધાન માટે કટિબદ્ધ છે પરંતુ ચીને તેની હરકતો પર લગામ લગાવવી પડશે. નોંધનીય છે કે, વિદેશ મંત્રાલયે મંગળવારે આ વાત કહી.
ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ યથાવત
વિદેશ મંત્રાલયે ચીનને પોતાના સૈનિકોને કાબૂમાં રાખવાની કરી વાત
ચીને કહ્યું, 1962 કરતા ભારે પડી શકે છે ભારતને
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તાજેતરની પ્રવૃત્તિઓ અને આક્રમક કાર્યવાહી મામલે ચીની બાજુ રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા શેર કરી છે. અમે તેમને અનુરોધ કર્યો છે કે તેઓ શિસ્તબદ્ધ રહે અને તેમના આગળના સૈનિકોને આવી આક્રમક પ્રવૃત્તિઓ કરતા અટકાવે.
સ્થાનિક કમાન્ડરો પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ચર્ચા કરી રહ્યા છે
મંત્રાલયે કહ્યું કે 31 ઓગસ્ટે, જ્યારે બંને બાજુના સ્થાનિક કમાન્ડરો પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ચીની સૈન્ય દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. સમયસર રક્ષણાત્મક કાર્યવાહીને લીધે ભારતીય પક્ષ યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવાના આ પ્રયત્નોને રોકી શક્યો.
ભારતીય સેનાએ આપ્યો જવાબ
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, સોમવારે ભારતીય સેનાએ કહ્યું હતું કે ભારતીય પક્ષે આ ઉકસાવનાર કાર્યવાહીનો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ક્ષેત્રીય સંપ્રભુતાની રક્ષા અને પોતાના હિતોની સુરક્ષા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર યોગ્ય રક્ષણાત્મક ધોરણોનું પાલન કર્યું છે.
મંત્રાલયે કહ્યું કે ભારત અને ચીન ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા સતત વાટાઘાટો કરી રહ્યા છે. ચીન તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના સૈનિકો પેંગોંગ ત્સો તળાવ વિસ્તારમાં 29 અને 30 ઓગસ્ટની રાત્રે લશ્કરી કવાયત ઉશ્કેરવામાં રોકાયેલા છે.
ભારતને ભારે પડી શકે
જો ભારત મિલિટ્રી તાકાત બતાવશે તો PLA ભારતે 1962થી વધુ નુકસાન પહોંચાડવા યોગ્ય છે.