ભારતે K-4 મિસાઇલનું વધુ એક સફળ પરીક્ષણ કરી લીધું છે. આંધ્ર પ્રદેશના સમુદ્ર કિનારે એક બાદ એક બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેને લઇ ભારતની કોઇ પણ દુશ્મન દેશના પરમાણું હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતામાં વધારો થઇ ગયું છે.
K-4 મિસાઇલનું વધુ એક સફળ પરીક્ષણ
આંધ્ર પ્રદેશના સમુદ્ર કિનારે કરાયું પરીક્ષણ
દુશ્મનદેશને જડબાતોડ જવાબ આપશે
3500 કિમી દૂર સુધી મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલના રડારમાં આખું પાકિસ્તાન અને અડધુ ચીન આવી ગયું છે. ન્યૂક્લિયર બોમ્બ લઇ જવા માટે સક્ષમ K-4 મિસાઇલ સ્વદેશી ટેક્નિકથી બનાવાયેલી પરમાણુ સબમરિન અરિંહતમાં લગાવવામાં આવશે.
Government Sources: For the second time in the last six days, India, today successfully test-fired the 3,500 km strike range K-4 submarine-launched ballistic missile off the coast of Vishakhapatnam.The DRDO-developed missile was testfired from an underwater platform today morning pic.twitter.com/nerLhPDZqp
K-4 અને બ્રહ્મોસની જુગલબંદીથી હવે ભારત દુશ્મનદેશને જડબાતોડ જવાબ આપવા માટે વધુ સક્ષમ બની ગયું છે. અને આ સફળ પરીક્ષણ બાદ ભારત ન્યૂક્લિયર ટ્રાયડની દિશામાં આગળ વધ્યું છે. ન્યૂક્લિયર ટ્રાયડ એટલે કે જમીન, હવા અને સમુદ્ર કોઇપણ જગ્યાએથી પરમાણુ મિસાઇલ છોડવાની ક્ષમતા.
DRDO દ્વારા કરાઇ છે તૈયાર
આ સબમરીન મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી આઇએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તહેનાત કરવામાં આવશે.
જમીનથી હવામાં સચોટ નિશાન ભેદવામાં સક્ષમ
આ મિસાઇલ જમીનથી હવામાં સચોટ નિશાન ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઇ સૈન્ય અભિયાન હેઠળ મિસાઇલ પણ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખતા તેને તાત્કાલિક નિશાન બનાવે છે.